SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ વિટ્ટ' એ વર્તમાનમવિષ્યોશ' 4 3 વા’ (fસ. ૮-૨-૭૭) સૂત્રથી વર્તમાન અને ભવિષ્યત્તિના વિધિ વગેરેમાં થયેલા પ્રત્યય સ્થાને ' એ પ્રમાણે આદેશો વિકલ્પ થાય છે. હસેઝ, હસેHI - હસતુ, દક્ષેત્ થાય એની જેમ. II૭૮. ગાથાર્થ : જે કારણે શિવમાર્ગમાં સારી રીતે સ્થિતિને કરેલા જીવોને પણ વિશેષ કરીને વિષયો દુર્જેય છે, તે કારણથી આખા જગતમાં દુર્જેય બીજું કંઈ પણ નથી. Il૭૯. ભાષાંતરઃ જે કારણે શિવમાર્ગમાં સંસ્થિત અર્થાત્ સારી રીતે સ્થિતિ કરેલા એવા જીવોને પણ વિશેષ કરીને વિષયો દુર્જય છે, તે કારણે આખા પણ જગતમાં અન્ય કંઈ પણ *દુર્જય નથી. કરોડ સુભટો પણ સુજેય અર્થાત્ સારી રીતે જીતી શકાય, પણ વિષયોને જીતવા અતિ દુષ્કર છે. ll૭૯ll ગાથાર્થ : વિટંક સહિત અને ઉભેટ રૂપવાળી જોવાયેલી સ્ત્રી મનને મોહે છે. આત્મહિતને વિચારતા (સાધુઓ તેને) અતિ દૂરથી જ ત્યાગ કરે છે. Iટol. ભાષાંતરઃ સવિટોક્રેટ - અહીં વિટંક એટલે વિબન્ધ-વિશિષ્ટ બન્ધ અર્થાત્ શુભ અધ્યવસાયના સ્મલન રૂપ (બાધારૂપ) કારણ કે, “ટ' ધાતુ બન્ધન અર્થમાં છે અને વિટંકની સહિત વર્તે તે સવિટંક. ઉદુભટ એટલે ઉદાર, વિશાળ અને સવિટંક ઉભટ એવું રૂપ છે, જેણીનું એવી જોવાયેલી જે કોઈપણ સ્ત્રી, મન એટલે અંતઃકરણને મોહે છે અર્થાત્ વિચિત્તપણાને પમાડે છે. તેણીને આત્મહિત એટલે પોતાના પથ્યનો વિચાર કરતા એવા સાધુઓ (સજ્જન પુરુષો) દૂરતરથી અતિ દૂરથી જ પરિહરે છે, વર્જે છે. જે કારણે - પવનથી ફૂંકાયેલો અગ્નિ કેટલાક પુરુષોના શરીરને બાળે છે. મત્ત થયેલો હાથી અને ક્રોધ પામેલો સર્પ પણ કેટલાના શરીરને હણે છે, પણ સ્ત્રી તો આલોક અને પરલોક સંબંધી જ્ઞાન, શીલ, વિનય, વૈભવ, ઔદાર્ય, વિજ્ઞાનરૂપ સર્વ સારભૂત દેહોને બાળે છે. lcoll ઈન્દ્રિયપરાજયશતક ૧૫૫
SR No.023146
Book TitleVairagyashatak Indriyaparajayshatak
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSangmarg Prakashan
Publication Year2002
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy