SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ કમારો કળાને ભણાવતી વખતે તે આચાર્યને મારે છે. ખરાબ વચનો બોલે છે. જ્યારે તે આચાર્ય તેઓને શિક્ષા કરે છે. ત્યારે તેઓ જઈને માતાને કહે છે ત્યારે તે માતાઓ આચાર્યની હીલના કરે છે. કે “કેમ હણો છો ? પુત્રનો જન્મ શું સુલભ છે ? તેથી તેઓ શિક્ષા ન અપાયા. આ તરફ મથુરામાં પર્વત રાજા હતો તેને નિવૃત્તિ નામની દીકરી હતી. શણગારેલી તે રાજા પાસે લવાઈ. રાજાએ કહ્યું- “જે તને ગમે તે તારો પતિ થાય” ત્યારે તેના વડે જણાવાયું “જે શૂર, વીર અને પરાક્રમવાળો હોય તે મારો પતિ થાઓ. તને વળી રાજ્ય અપાય. ત્યારે તે સૈન્ય અને વાહનને ગ્રહણ કરીને ઇન્દ્રપુર નગર તરફ ગઈ. ત્યાં ઇંદ્રદત્ત રાજાના ઘણા પુત્રો તેણે સાંભળ્યા હતા.ખુશ થયેલો ઇંદ્રદત્ત વિચારે છે “ખરેખર ત્યાર પછી, તેણે નગરને ઉંચી ધજાઓથી શણગાર્યું. ત્યાં એક પૈડામાં આઠ ચક્રો છે. તેની પાછળ પૂતળી છે. તેને આંખમાં વીંધવાની છે. ત્યાર પછી તૈયાર થયેલો ઇંદ્રદત્ત રાજા પુત્રો સાથે નીકળ્યો. તે કન્યા પણ સર્વ અલંકારથી વિભૂષિત એક પ્રદેશમાં રહે છે. તે રાજાનો રંગમંડપ છે. તે દંડિક રાજા સૈન્ય અને ભોગિક રાજા છે, જેવો દ્રૌપદીમાં સ્વયંવર મંડપ રચાયેલ તેવો મંડપ રચાયેલ છે. ત્યાં રાજાનો મોટો પુત્ર શ્રીમાળી નામનો હતો તે કહેવાયો “હે પુત્ર ! આ પુત્રી અને રાજ્ય ગ્રહણ કરવા યોગ્ય છે. તેથી આ પૂતળીને તું વીંધી નાખ. ત્યારે આવા કાર્ય માટે જેણે પ્રયત્ન-મહેનત નથી કરી તેવો તે સમૂહની મધ્યમાં ધનુષ્યને ગ્રહણ કરવા માટે પણ શક્તિમાન ન થયો. બીજા કેટલાક પુત્રોએ ધનુષ્યને ગ્રહણ કર્યું. તેના વડે “જ્યાં જવું હોય ત્યાં જાઓ' એ પ્રમાણે બાણ મૂકાયું.તે ચક્રમાં અથડાઈને ભાગી ગયુંએ પ્રમાણે કોઈકને એક આરાની વચ્ચેથી પસાર થયું, કોઈકને બે અને કોઈકને ત્રણ, કેટલાકનું ચક્રની બહાર જાય છે. ત્યારે રાજા અવૃતિને પામ્યો. અરે ! હું આ પુત્રો વડે અપમાનિત કરાયો. ત્યારે અમાત્ય વડે કહેવાયું. “શા માટે અતિને કરો છો ?' રાજા કહે છે “આ પુત્રો વડે હું હલકો કરાયો. ત્યારે મંત્રી કહે છે. “આપનો બીજો પણ પુત્ર છે, જે મારી દીકરીથી ઉત્પન્ન થયેલ સુરેન્દ્રદત્ત નામનો છે. તે શિક્ષા અપાયેલો છે. તે વિંધવા માટે સમર્થ છે. તેની જાણકારી કહેવાઈ. રાજાએ પૂછયું “તે ક્યાં છે?” તે બતાવાયો. ત્યાર પછી પ્રગટ કરાયેલો તે રાજા વડે કહેવાયો કે તારે આ આઠ રથના ચક્રોને ભેદીને પૂતળીને આંખમાં વીંધીને રાજ્યનું સુખ અને નૃવૃત્તિ રાજકન્યાને ગ્રહણ કરવા માટે શ્રેયસ્કર છે. ત્યાર પછી કુમારે વૈરાગ્યશતક પર
SR No.023146
Book TitleVairagyashatak Indriyaparajayshatak
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSangmarg Prakashan
Publication Year2002
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy