SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૮] ઢાળ-૧૦ અવર કહે પૂજાદિક કામ, (શ્રા. વિ. રાજા, વિદ્યાધરને રાજા, વૈમાનિક દેવતાને અથવા ભવનપતિને ઈન્દ્ર પણ મારી પાસેથી હરવા સમર્થ નથી મહારા ખેળામાં બેઠી છતાં ધ્રુજનારી તું શેષનાગની કાંચળી જેવા પિતાના પિચ્છના સમૂહને કેમ ધ્રુજાવે છે? એમ કહી દયાળુ રત્નસાર કુમારે આકુળ-વ્યાકુળ થયેલી હસીને સરોવરમાંથી નિર્મળ જળ અને સરસ કમળતંતુ મંગાવી આપીને સંતુષ્ટ કરી. આ કેણ છે? કયાંથી આવી? કોનાથી ભય પામી? અને મનુષ્ય વાણીથી શી રીતે બેલે છે? એ સંશય કુમાર વગેરે લેકના મનમાં આવે છે, એટલામાં શત્રુના કોડે સુભટનાં ભયંકર વચન તેમને કાને પડ્યાં. તે એવી રીતે કે “કેણ ત્રયને અંત કરનારા યમને કપાવે? કેણ પોતાના જીવિતની દરકાર ન રાખતાં શેષનાગના મસ્તકે રહેલા મણિને સ્પર્શ કરે ? તથા કણ પ્રલયકાળના અગ્નિની જવાળાઓમાં વગર વિચારે પ્રવેશ કરે ?' એવાં વચન સાંભળતાં જ ચતુર પિપટના મનમાં શંકા આવી, અને તે શીવ્ર મંદિરનાં દ્વારમાં આવી શું બનાવ બને છે, તે જોવા લાગે. એટલામાં ગંગા નદીના પૂરની માફક આકાશમાર્ગે આવતી વિદ્યાધર રાજાની ઘણી શુરવીર સેના તેના જેવામાં આવી. તીર્થના પ્રભાવથી, કાંઈક દૈવિક પ્રભાવથી, ભાગ્યશાળી રત્નસારના આશ્ચર્યકારી ભાગ્યથી અથવા રત્નસારના પરિચયથી કેણ જાણે કયા કારણથી પિપટ શૂરવીર પુરુષનું વ્રત પાળવામાં અગ્રેસર થયું. તેણે ગંભીર અને ઉચ્ચ સ્વરથી શત્રુઓની સેનાને હંકારે કરીને કહ્યું કે, “અરે વિદ્યાધર સુભટ ! દુષ્ટ બુદ્ધિથી ક્યાં દોડે છે ? દેવતાથી
SR No.023145
Book TitleShravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Mahayashsagar
PublisherKeshavlal Premchand Parekh
Publication Year1982
Total Pages712
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy