SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ [શ્રા, વિ. કુમાર ! તું રત્નસાર ૪૨૦] એહુ વચન અણુમાનતાંજી, ચખ થયેલા પાપટે કહ્યું કે, “ હું ચતુર છતાં મુખ્ય માણસની પેઠે કેમ પાછળ દોડે છે ? તાપસ કુમાર કયાં અને આ તફાની પવન કયાં? યમ જેમ જીવિત લઈ જાય એમ આને પવન કેવી રીતે લઈ ગયા ? હે કુમાર ! એટલી વારમાં તે પવન તાપસકુમારને અસ લક્ષ ચેાજન દૂર લઈ જઈ ને કયાંય સ'તાઈ ગયા, માટે તુ હવે શીધ્ર પાછા ક્ર.” ઘણા વેગથી કરવા માંડેલું કામ નિષ્ફળ જવાથી શરમાયેલા રત્નસાર પોપટના વચનથી પાછે આવ્યા અને ઘણા ખિન્ન થઈ વિલાપ કરવા લાગ્યો કેઃ- હે પવન ! મ્હારા પ્રેમનુ' સર્વસ્વ એવા તાપસકુમારને હરણ કરી તે દાવાગ્નિ સરખુ વત્તન કેમ કર્યુ? હાય હાય! તાપસકુમારને મુખચંદ્રમા જોઈ હારા નેત્રરૂપ નીલકમળા કયારે વિકસ્વર થશે? અમૃતની લહેરી સરખા સ્નિગ્ધ, મુગ્ધ અને મધુર એવા તે મનને પ્રસન્ન કરનારા દૃષ્ટિ—વિલાસ ફરીથી મને શી રીતે મળશે ? રાંક સરખા હુ. તેનાં પવૃક્ષના પુષ્પ સરખાં, અમૃતને પણ તુચ્છ કરનારાં વારંવાર મેાંમાંથી નીકળતાં મધુર વચન હવે શી રીતે સાંભળીશ ? ” સ્ત્રીના વિયેાગથી દુ:ખી થયેલા પુરુષની માક એવા નાનાવિધ વિલાપ કરનાર રત્નસાર કુમારને પાપટે યથાર્થ જે વાત હતી, તે કહી. “ હું રત્નસાર ! જેને માટે તુ' શેક કરે છે, તે નક્કી તાપસકુમાર નથી. પણ કાઈ પુરુષે પોતાની શક્તિથી રૂપાંતર કરી ફેરવી નાંખેલી એ કાંઈક વસ્તુ છે, એવુ મ્હારી ધારણામાં આવે છે. તેના દેખાયેલા જુદા જુદા મનેાવિકારથી, મનોહર વચન ખેલ ,,
SR No.023145
Book TitleShravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Mahayashsagar
PublisherKeshavlal Premchand Parekh
Publication Year1982
Total Pages712
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy