SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ દિ. J એમ જાણીને જ્ઞાન સા ભજી, જ કરવાં, અને વળી મૂળ તે પાન, કંદ, દાંડી, મોગરા) પંચાંગથી તજવાયેગ્ય છે, સુંઠ, હળદર તે નામ સ્વાદના બદલવાથી સુકાયા પછી કહ્યું છે. ઉકાળેલા પાણીની રીતિ-ઉનું પાણી ત્રણ વાર - ઉકાળા ન આવે ત્યાં સુધી તે મિશ્ર ગણાય છે એટલા માટે પિંડનિયુક્તિમાં કહેલ છે કે – * જ્યાં સુધી ત્રણ વાર ઉકાળા આવ્યા ન હોય ત્યાં સુધીનું ઊનું પાણી પણ મિશ્ર ગણાય છે ( ત્યાર પછી અચિત્ત ગણાય). જ્યાં ઘણા માણસની આવ-જાવ થયા કરતી હોય એવી ભૂમિ ઉપર પડેલું વરસાદનું પાણી જ્યાં ‘સુધી ત્યાંની જમીનની સાથે ન પરિણમે, ત્યાં સુધી તે પણું મિશ્ર ગણાય. ત્યાર પછી અચિત્ત થઈ જાય છે, અને અરણ્ય ભૂમિ (વગડાની જમીન) ઉપર વરસાદ જળ પડતાં માત્ર મિશ્ર છે. પછી પડતું વર્ષાનું પાણી સંચિત્ત બની જાય છે. - ચોખાના ધાવણમાં આદેશ-ત્રિકને મૂકીને તડુલેદક જ્યાં સુધી ડહેલું હોય ત્યાં સુધી મિશ્ર ગણાય છે, પણ જ્યારે નિર્મળ થાય ત્યારથી અચિત્ત ગણાય છે. (આદેશ-ત્રિક બતાવે છે) કેઈ આચાર્ય એમ કહે છે કે, ચેખાનું ધાવણ એક વાસણમાંથી બીજા વાસણમાં માખતાં જે છાંટા ઊડે છે, તે બીજા વાસણને લાગે તે છાંટા જ્યાં સુધી ન સુકાય ત્યાં સુધી ચોખાનું ધાવણ મિશ્ર ગણવું. બીજા કઈક આચાર્ય એમ કહે છે કે તે વણ એક વાસણમાંથી બીજા વાસણમાં ઊંચેથી નાંખતાં
SR No.023145
Book TitleShravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Mahayashsagar
PublisherKeshavlal Premchand Parekh
Publication Year1982
Total Pages712
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy