SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાસ ભગવતો શ–૧. ઉ–૭. ૩૭ તે રાજધાનીમાં જ ચિત્ત, મન, આત્મપરિણામ, અધ્યવસાન (પ્રયત્ન) અને સાવધાનીવાળા તથા તેને માટે ક્રિયાઓ કરનારો અને તેના જ સંસ્કારવાળા બની એ સમયે જો મરણ પામે, તા તે નૈયિકામાં ઉત્પન્ન થાય. ગૌતમ : હે ભગવન્ ! ગર્ભમાં ગયેલા જીવ દેવલેાકે જાય ? મહાવીર : હે ગૌતમ ! કોઇ સ’ની, પચેન્દ્રિય અને સર્વ પર્યાપ્તિથી પૂર્ણ થયેલેા જીવ ઉત્તમ શ્રમણ કે બ્રાહ્મણ પાસે એક પણ ધાર્મિક અને આ વચન સાંભળી, તરત જ સંવેગથી ધર્મીમાં શ્રદ્ધાળુ, ધર્મીમાં તીવ્ર અનુરાગથી રંગાયેલા, ધના અ, પુણ્યના અથી, સ્વ ના અથી, મેાક્ષના અર્થી, તેમાં ચિત્તવાળે, તેમાં મનવાળા, તેમાં આત્મપરિણામવાળા, તેમાં અધ્યવસાયવાળે, તેમાં તીવ્ર પ્રયત્નવાળા, તેમાં સાવધાનીવાળા, તેને માટે ક્રિયાઓ કરનારા અને તેના સંસ્કારવાળા અની, તે સમયે જો મરણ પામે તે તે દેવલેાક જાય. ગૌતમ : હે ભગવન્ ! ગર્ભામાં ગયેલા જીવ ચતા હાય, પડખાભર હાય, કેરી જેવા મુખ્ય હાય, ઊભેલા હાય, બેઠેલેા હાય કે સૂતેલા હાય ? તથા જયારે માતા સૂતી હૈાય ત્યારે સૂતા હાય, જ્યારે માતા જાગતી હાય ત્યારે જાગતા હાય, માતા સુખી ઢાય ત્યારે સુખી હાય અને માતા દુઃખી હૈાય ત્યારે દુઃખી હાય ? મહાવીર : હા ગૌતમ ! હવે જો તે ગર્ભ પ્રસવ સમયે માથા દ્વારા કે પગ દ્વારા આવે તે સરખી રીતે આવે અને જો આડા થઇને આવે તે મરણ પામે, જે જીવ બહાર આવે તેનાં કર્માં અશુભ હાય તા તે જીવ કદરૂપા, દુ, દુધી, ખરાબ રસવાળા, ખરાખ સ્પર્શીવાળા, અનિષ્ટ, અકાંત, અપ્રિય, અશુભ, અમનેાજ્ઞ, સભાર્યાં પણ સારા ન લાગે તેવા હીન સ્વરવાળા, દીન સ્વરવાળા, અનિષ્ટ સ્વરવાળા, અકાંત સ્વવાળા, અપ્રિય સ્વરવાળા, અશુભ સ્વરવાળા, અમનાજ્ઞ સ્વરવાળા, સંભાર્યાં પણ સારા ન લાગે તેવા સ્વરવાળા અને જેનું વચન કોઈ ન માને તેવા (અનાદેય વચન) થાય. પણ જો તેનાં કર્યાં શુભ હાય તેા તેથી ઊલટુ થાય.
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy