SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતી ઉપક્રમ પ્રશ્ન: હે ભગવાન્ ! લેકસ્થિતિ કેટલા પ્રકારની છે ? ઉત્તરઃ આઠ પ્રકારની છે. (૧) આકાશને આધારે તન વાયુ અને તનવાયુને આધારે ઘનવાયુ છે. (૨) વાયુના આધારે પાણી (ઘનેદધિ) છે. (૩) પાણીના આધારે પૃથ્વી (નર્કના પૃથ્વી પિંડ) છે. (૪) પૃથ્વીના આધારે ત્રણ-સ્થાવર જી રહેલ છે. (૫) અજીવ જેને સંગ્રહ (ઉપચરિત નયાપેક્ષા શરીરાદિ અજીવ તે જીને સંગ્રહ સમજ). (૬) જીવે કર્મને સંગ્રહ કરી રાખે છે. () જીવ અજીવને સંગ્રહ કરે છે. અર્થાત્ જીવ ભાષા–મનપણે પુદ્ગલેને સંગ્રહ કરે છે. (૮) જીવ કર્મોને સંગ્રહ કરે છે. પ્રશ્ન : હે પ્રભુ! એ લેકસ્થિતિ કેવા પ્રકારની છે ? ઉત્તરઃ હે ગૌતમ! જેમ ચામડાની મસકમાં વાયુ ભરીને મેટું પાકા દોરાથી બધે પછી મધ્ય ભાગે પાકા દોરાથી બાંધી લે, પછી નીચલો ભાગ વાયુથી ભરેલું રહેવા દઈ ઉપરના વાયુને કાઢીને તેને બદલે પાણી ભરીને મોઢું પાકી રીતે બાંધી દે, પછી વચેલે બંધ છેડી નાખે તે પાણી ઉપર હતું ત્યાં જ વાયુના આધારે અધર રહે એ રીતે, વાયુના આધારથી પાણું ઘનેદધિ અને પાણીના આધારે પૃથ્વી રહી છે. યાવત જીવ કર્મને સંગ્રહ કરે છે, એમ સમજવું. હું પ્રશ્ન : હે ભગવાન્ ! સૂફમ અપકાય હંમેશાં વરસે છે? C - ઉત્તર: હા, ગૌતમ! સૂક્ષમ અપકાય ઊંચી-નીચી, તીરછી દિશામાં. હંમેશાં વરસે છે. પણ સ્કૂલ અપકાયની જેમ દીર્ઘકાલ ટકતી નથી, દિવસે સૂર્યના તાપમાં અધ્ધરથી જ જલદી નાશ પામે છે. રાત્રિના વખતે કંઇક ટકે છે. માટે સાધુ-સાધ્વી કે વ્રતધારી શ્રાવકે ખુલ્લી જયાએ રાત્રે રહેતા નથી. કારણવશ જવું જ પડે તે માથે ઓઢીને ચાલે. ' (૧૧) ગર્ભવાસ ભગવતી શ. ૧ ઉ. ૭ ને અધિકાર ; ગૌતમ? હે ભગવન્! ગર્ભમાં ઉત્પન્ન થતે જીવ ઇંદ્રિયવાળો ઉત્પન્ન થાય છે કે ઇન્દ્રિય વિનાને ?
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy