SearchBrowseAboutContactDonate
Page Preview
Page 687
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અગવતી ઉપામ સ્થાનેથી આત્મા નીચે તે અવશ્ય આવે છે. તે હિયમાન પરિણામ વિના નીચે આવવાનું કારણ શું? 0: ઉત્તર: યથાખ્યાતચારિત્ર અને નિગ્રંથ નિયંઠામાં હિયમાન | પરિણામ નથી. છતાં પણું નીચે આવવાની જે ક્રિયા થાય છે તે સ્થિતિ પૂર્ણ થવાને કારણે થાય છે. ૧૧ મા ગુણસ્થાને રહેવાને જે કાળ છે તે સ્થિતિને પરિપાક થયે સ્વાભાવિક રીતે ૧ મે ૧૦ મે ગુસ્થાને આવે છે. હિયમાન પરિણામ ત્યાં છે જ નહિ. એટલે નીચે આવવાના કારણ રૂપમાં તેને ગણાય નહિ. તથા તે વાત સમજવા એક વ્યાવહારિક ઉદાહરણ લઈએ. " એક ન્યાયાધીશ થડા દિવસની રજા ઉપર ગયા અને તેના સ્થાને પ્રમાણના દિવસો માટે એક બીજા ન્યાયાધીશ આવ્યા. પ્રથમના જે રજા ઉપર હતા તેના રજાના દિવસે પૂર્ણ થયે આવ્યા એટલે તેના સ્થાને જે હતા તે ઊતરી ગયા. હવે વિચારીએ કે જે ન્યાયાધીશ ઊતરી : ગયા તે શું પિતાના દોષને કારણે ? નહિ. તેને તેટલા જ દિવસ માટે નિર્ધારિત કર્યા હતા, બસ, હવે તે જ ઉદાહરણ ૭ ગુણસ્થાનથી છઠ્ઠ ગુણસ્થાને આવવાવાળા માટે અને ૧૧ ગુણસ્થાનથી ૧૦મ ગુણસ્થાને આવવાવાળા માટે વિચારી લે તેમાં તેના હિયમાન પરિણામને દોષ નથી પણ તે તે સ્થાનની સ્થિતિ જ તેટલા સમયની છે તે નક્કી થયું. તીર્થકર દે પણ ૭ મે થી ૬ ગુણસ્થાને આવે છે. તેને માટે ' પણ ઉપર પ્રમાણેને જ નિયમ સમજવાનું છે. જેમકે છદ્મસ્થ તીર્થકર " જ્યારે પ્રવજ્યા સ્વીકાર કરે છે ત્યારે તેને નિયમ ૭મું ગુણસ્થાન હોય છે. અને અંતર્મુહૂર્ત પછી છ મા ગુણસ્થાનની સ્થિતિ પૂર્ણ થયે છઠ્ઠા ગુણસ્થાને આવે છે. હવે તીર્થકર દેવામાં પણ નિગ્રંથ નિયંઠાની સમાન હિયમાન પરિણામ હોતું નથી. છતાં પણ નીચેના ગુણસ્થાન પર આવે છે. એટલે સારંશ એ છે કે, ૭ ગુણસ્થાનથી ૬ આવવામાં અને ૧૧ મેથી ૧૦ મા ગુણસ્થાને આવવામાં માત્ર સ્થિતિની પરિપાક્તાને જ i: પ્રભાવે છે. પરંતુ હિયમાન પરિણામને પ્રભાવ નથી. :: પ્રશ્નઃ આહાક લબ્ધિ ક્યા નિર્ચથને પ્રાપ્ત થાય છે? (છા નિર્ગથમાંથી)
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy