SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતી ઉપમ ગાઢ ધનવાળી કરે છે, જે પ્રકૃતિએ થાડા સમયની સ્થિતિવાળી હાય તેને લાંબા કાળની સ્થિતિવાળી કરવાના પ્રારંભ કરે છે. મ અનુભવવાળી (હીન રસવાળી) પ્રકૃતિને ગાઢ રસવાળી કરે છે, અને થાડા પ્રદેશવાળા કમળને ઘણા પ્રદેશવાળા કરે છે. અશાતાવેદનીય એટલે કે દુઃખપૂર્ણાંક અનુભવવાના કમને વારંવાર એકઠું કરે છે. તથા અનાદિ અનંત દીર્ઘ માવાળા તથા ચાર ગતિવાળા સસારાણ્ય વિષે પર્યટન કરે છે. ૧૦ પરંતુ સંવૃત્ત અણુગાર તેથી ઊલટું કરીને સિદ્ધ થાય છે તથા સર્વ દુઃખાના અંત કરે છે, વના જ્ઞાન આદિ ઇહભવ પરભવ વિષે ગૌતમ : હે ભગવન્ ! જ્ઞાન ઇહુવિક (આ ભવમાં જ રહેનાર) છે ? પરભવિક (ચાલતા ભવમાં ભણાયેલું, ખીજા ભવમાં સાથે જાય તેવું) છે ? કે તભયભવિક (ચાલતા ભવમાં ભણાયેલું, આ ભવમાં રહેનારુ તેમ જ પરભવમાં જાય તેવુ) છે ? મહાવીર : હે ગૌતમ ! જ્ઞાન 'હુભવિક પણ છે, પશ્તવિક પણ છે અને તદ્રુભયવિક પણ છે. દર્શન પણ એ જ પ્રમાણે જાણવુ', ગૌતમ ! હે ભગવન્ ! ચારિત્ર ઈડુભવિક છે, પરભવિક છે કે તદ્રુભયભવિક છે? : મહાવીર : હે ગૌતમ ! ચારિત્ર ઇહલવિક છે, પણ પરવિક કે તઃભયવિક નથી. એ પ્રમાણે તપ અને સયમ પણ જાણવાં. જીવ આ ભવમાં ચારત્રવાળા થઇને એ જ ચારિત્ર વડે ખીજા ભવમાં ચારિત્રવાળા થતા નથી. કારણ કે ગ્રહણ કરેલું ચારિત્ર જીવતાં સુધી જ હોય છે. વળી, અહીં અલ્પ અંશે ચારિત્ર પાળવાથી દેવલાકમાં ઉત્પત્તિ થાય, ત્યારે ત્યાં વિરતિના તદ્દન અસભવ હાવાથી ચારિત્રના પણ
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy