SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ થી ભગવતી ઉપમ, ગૌતમ હે ભગવન્! ભાવ પરમાણુ કેટલા પ્રકારના છે? મહાવીરઃ હે ગૌતમ! ભાવ પરમાણુ ચાર પ્રકારના છે. (૧) વર્ણવાળા (૨) ગંધવાળા (3) રસવાળા (૪) સ્પર્શવાળા * * * ત્રણ બંધ - શ્રી ભગવતી સૂત્ર શ. ૨૦. ઉ. ૭ને અધિકાર | ગૌતમ: હે ભગવન્! બંધ કેટલા પ્રકારના છે? મહાવીરઃ હે ગૌતમ! બંધ ત્રણ પ્રકારના છે. [૧]] જીવ પ્રયોગ બંધ [૨] અંતર બંધ [૩] પરંપર બંધ. - આ ત્રણ પ્રકારના બંધમાં જેઓમાં મળી શકે એવા પ૫ બેલ. કર્મબંધ ૮, કર્મઉદય ૮, વેટ ૩, દર્શનમોહનીય ૧, ચારિત્ર મેહનીય ૧, < શરીર ૫, સંજ્ઞા ૪, લેહ્યા ૬, દષ્ટિ ૩, જ્ઞાન પ, અજ્ઞાન ૩, (૧) જીવના પ્રયોગથી અર્થાત મનવચન-કાયાની પ્રવૃત્તિથી આત્માની સાથે કર્મ પુદ્ગલેનો જે સંબંધ હોય છે તેને જીવ પ્રયોગ બંધ કહે છે, " (૨) કમ પુદગલોને બંધ થયા બાદ (અંતરરહિત સમયમાં) જે બંધ હોય છે તેને અનંતર બંધ કહે છે, . . (૩) કમ પુદ્ગલેના બંધ થયા બાદ બીજા-ત્રીજા સમયમાં જે બંધ હોય છે તેને પરંપરબંધ કહે છે. અર્થાત્ વચમાં એક-બે સમય આદિનું અંતર પડીને બંધ હોય છે તેને પરંપર બંધ કહે છે. ૮ કમને આત્મા સાથે સંબંધ થવો તે બંધ છે એમ પહેલાં કહેલ છે, પરંતુ અહીં કર્મ પુદ્ગલ અથવા અન્ય પુદગલેનો આત્મા સાથે જે સંબંધ છે એને બંધ સમજવું જોઈએ. તે પણ દારિકાદિ શરીર, આહારાદિ સંશાજનક કર્મ અને કૃષ્ણાદિ લેશ્યાનો બંધ હો સંભવ છે. તે પણ એ શંકા હોઈ શકે કે, દષ્ટિ, જ્ઞાન, અજ્ઞાન અને એનાવિષયના બંધ કેમ હોય ? કેમકે સર્વે અપમાલિક છે. * ઉત્તર આ પ્રકારે છે. અહીં બંધનો અર્થ કેવળ સંબંધ વિવક્ષિત છે, એટલે સમ્યગ્દષ્ટિ આદિને જીવ પ્રયુગાદિ બંધ ઘટિત થાય છે,
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy