SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ ભાકડી પુત્ર અણગારના પ્રશ્નો સ. ૧૮ ઉ. ૩ ૩૭૫ માનંદીપુત્ર અણગારના પ્રશ્નો શ્રી ભગવતી સૂત્ર. શ. ૧૮. ઉપૂ૩ને અધિકાર માનંદીપુત્રઃ હે ભગવન ! બંધ કેટલા પ્રકારના છે? મહાવીરઃ હે માન્દીપુત્ર ! બંધબેપ્રકારના છે. (૧) દ્રવ્યબંધ અને, (૨) ભાવબંધ. માનંદીપુત્રઃ હે ભગવન્ ! દ્રવ્યબંધના કેટલા ભેદ છે? મહાવીરઃ હે માન્દીપુત્રી દ્રવ્યબંધના બે ભેદ છે. પ્રાગબંધ અને સ્વાભાવિક–બંધ. માકંદીપુત્રઃ હે ભગવન્! સ્વાભાવિક બંધના કેટલા ભેદ છે? મહાવીરઃ હે માકનીપુત્ર ! સ્વાભાવિક બંધના બે ભેદ છે. સાદિ સ્વાભાવિક બંધ–જેમકે વાદળાં આદિના. અનાદિ સ્વાભાવિક બંધ જેમકે ધર્માસ્તિકાય આદિના. પરસ્પર બંધ. (ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને કાકાશ એ ત્રણે આપસમાં પરસ્પર બંધાયેલ છે.) માનંદીપુત્રઃ હે ભગવન ! પ્રગબંધના કેટલા ભેદ છે? મહાવીર ઃ હે માનન્દીપુત્ર! પ્રગબંધના બે ભેદ છે. (૧) શિથિલ બંધ (ઢીલા બંધ) અને, (૨) ગાઢબંધ (મજબૂત બંધ). માનંદીપુત્રઃ હે ભગવન્ ! ભાવબંધના કેટલા ભેદ છે? મહાવીર : હે માકન્દીપુત્ર ! ભાવબંધના બે ભેદ છે. (૧) મૂળ પ્રકૃતિબંધ અને, (૨) ઉત્તર પ્રતિબંધ મૂળ પ્રકૃતિબંધના જ્ઞાનાવરણીય આદિના ૮ ભેદ છે. ઉત્તર પ્રકૃતિના ૧૪૮ ભેદ છે, તેમાં ૧૨૦ પ્રકૃતિઓના બંધ છે. જે દંડકમાં જેટલી પ્રકૃતિએના બંધ હાલે તે કહી દેવા.
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy