SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકારણુ ભગવતી શ-૧૬ ૯-૧ ૩૪૩ મહાવીરઃ હે ગૌતમ! જીવ સાધિકરણી છે, પરંતુ નિરદ્ધિકરણ નથી. એ રીતે ૨૪ દંડકનું કહેવું. - ગૌતમ : હે ભગવન ! જવ •0 આત્માધિકરણી છે કે પરાધિકરણી તદુભાયાધિકરણ છે? મહાવીરઃ હે ગૌતમ! અવિરતિની અપેક્ષાએ જીવ આત્માધિકરણ પણ છે, પરાધિકરણ. પણ છે અને તદુભયાધિકરણ પણ છે. એ રીતે ૨૪ દંડકમાં કહેવું. ગૌતમ : હે ભગવન્! જીવેના અધિકરણ @ આત્મપ્રગથી હોય છે કે પરપ્રગથી હોય છે કે તદુભય પ્રયોગથી હેય છે? મહાવીર: હે ગૌતમ! અવિરતિની અપેક્ષાએ ત્રણેથી હેય છે. એ રીતે ૨૪ દંડક કહેવા. પાંચ શરીર, પાંચ ઇંદ્રિયે અને ત્રણ યુગ એ ૧૩ બેલેમાંથી જે જે બેલ જેમાં લાભ એ એ બેલેને નીપજાવતા (બાંધતા) હતા ૨૪ દંડકના જીવ અવિરતિની અપેક્ષાએ અધિકરણ પણ છે અને O પાપારંભમાં સ્વયં પ્રવૃત્તિ કરનાર આત્માવિકરણી કહેવાય છે. બીજાથી પાપારંભ કરાવવું પરાધિકરણી કહેવાય છે. પોતે જ પાપારંભ કરે છે અને બીજાથી પણ કરાવે છે તે તદુભયાધિકરણ કહેવાય છે. લિ હિંસા આદિ પાપકામાં પ્રવૃત્તિ કરવાવાળા મનના વેપારથી ઉત્પન્ન અધિકારણ આત્મપ્રયોગ નિર્વર્તિત કહેવાય છે. બીજાને હિંસાદિ પાપ કાર્યોમાં પ્રવૃત્તિ કરાવવાથી ઉત્પન્ન થતાં વચનાદિ અધિકરણ પરપ્રયાગ નિર્વતિત કહેવાય છે. આત્મા દ્વારા અને બીજાને પ્રવૃત્તિ કરાવતાં દ્વારા ઉત્પન્ન થયેલ અધિકરણ તદુભય પ્રયોગ નિર્વર્તિત કહેવાય છે. સ્થાવરાદિ જેવોમાં વચનાદિનો વેપાર હોતો નથી, એટલે તેમાં જે પર પ્રયોગાદિના અધિકરણ કહ્યાં છે તે અવિરતિભાવની અપેક્ષાથી જાણવું. તે
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy