SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૫ આત્મત્વ આદિ વિષે બેલ ભગવતી શ૧૨. ઉ૧૦. મહાવીર : હે ગૌતમ! પંચપ્રદેશિક સ્કંધ : (૧) કથંચિત્ આત્મા છે, (૨) કથંચિત્ આત્મા છે, અને (૩) આત્મા તથા આત્મારૂપે કથંચિત્ અવકતવ્ય છે, (૪) કથંચિત્ આત્મા, ને આત્મા અને આત્મા અને અનાત્મા-ઉભયરૂપે કથંચિત્ અવક્તવ્ય છે. આત્મા અને અવક્તવ્ય વડે એ પ્રમાણે ચાર ભાંગા કરવા, ત્રિકસંગમાં (આઠ ભાંગા થાય છે) એક આઠમે ભાગે ઊતરતે નથી, એટલે સાત ભાંગાએ થાય છે. (કુલ મળીને બાવીસ ભાંગાઓ થાય છે) ગૌતમ: હે ભગવન ! શા હેતુથી (પંચપ્રદેશિક સ્કંધ આત્મા છે) ઈત્યાદિ પાઠને પુનરુચ્ચાર કરે ? મહાવીરઃ હે ગૌતમ ! (૧) (પંચપ્રદેશિક સ્કંધ) પિતાને આદેશથી આત્મા છે, (૨) પરના આદેશથી ને આત્મા છે, (૩) તદુભયના–આદેશથી અવક્તવ્ય છે, (૪) દેશના આદેશથી સદ્દભાવ પર્યાયની અપેક્ષાએ અને દેશના આદેશથી અસદુભાવ પર્યાયની અપેક્ષાએ કથંચિત્ આત્મા છે અને આત્મા નથી–એ પ્રમાણે ટ્રિક સંગમાં સર્વે ભાંગા ઊપજે છે, માત્ર વિકસંગમાં (આઠમ) એક ભાંગે ઊતરતે નથી. ષપદેશિક સ્કંધને વિષે સર્વે ભાંગાઓ લાગુ પડે છે, જેમ ષàદેશિક સ્કંધને વિષે કહ્યું તે જ પ્રમાણે યાવત્ અનંત પ્રદેશિક સ્કંધ સંબંધે જાણવું. તમ: હે ભગવન ! તે એમ જ છે, હે ભગવન્! તે એમ જ છે એમ કહી [ભગવાન ગૌતમ] યાવત્ વિહરે છે. જ પંચપ્રદેશિક સ્કંધના ૨૨ ભાંગા થાય છે, તેમાં આદિના ત્રણ ભાંગા પૂર્વ પ્રમાણે એકલા દેશરૂપ છે. ત્યાર પછીના ત્રણ ભાંગાના પ્રત્યેકે ચાર ચાર વિકલ્પ થાય છે, અને સાતમા ભાંગાના સાત વિકલ્પ થાય છે. ત્રિકસંયોગના મૂળ આઠ ભાંગા થાય, તેમાં અહીં પ્રથમના સાત ભાંગા ગ્રહણ કરવા, એક છેલ્લા ભાંગાને અસંભવ હોવાથી તે ન ગ્રહણ કરે. છ પ્રશિક સ્કંધને વિષે ત્રેવીસ ભાંગા થાય છે.
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy