SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ સચ્ચા કેવળી ભગવતી શ૯. ઉ–51. ૧૨૯ ગૌતમ ઃ અહે ભગવન! તે (અવધિજ્ઞાની) સકષાયી હોય કે અકષાયી? મહાવીરઃ હે ગૌતમ! સકષાયી પણ હોય છે અને અકષાયી પણ હોય છે. સકષાયી હોય તે સંજ્વલન ચોક હોય છે. ત્રિક (માન-માયા-લેભ) હોય છે. દ્રિક (માયા-લેભ) હોય છે, અથવા એક લેભ) હોય છે, અને જે અકષાયી હોય તે ક્ષીણુકષથી હોય છે. ઉપશાંત કષાયી નથી લેતા. ' ગૌતમ? અહો ભગવદ્ ! તે અવધિજ્ઞાનીને કેટલા અધ્યવસાય હોય છે? મહાવીરઃ હે ગૌતમ! તેના અસંખ્યાત પ્રશરત અધ્યવસાયે હોય છે. તે પ્રશસ્ત અધ્યવસાયના વધવાથી કેવળજ્ઞાન–કેવળદર્શન પ્રાપ્ત થાય છે. ગૌતમ? અહો ભગવન ! શું તે “ ચા” કેવળી ભગવાન કેવળી પરૂપિત ધર્મને ઉપદેશ કરે છે. યાવત્ પરૂપણ કરે છે? મહાવીરઃ હે ગૌતમ! તે કેવળી પરૂપિત ધર્મને ઉપદેશ કરે છે. યાવત્ પરૂપણ કરે છે. ગૌતમ : અહો ભગવન્! શું તે કેવળી ભગવાન કેઈને પ્રવજ્યા (દીક્ષા) દે છે? મુંડિત કરે છે? મહાવીરઃ હા. ગૌતમ! પ્રવજ્યા દે છે. મુંડિત કરે છે. ગૌતમ ઃ હે ભગવન! શું તે કેવળી ભગવાનના શિષ્ય પ્રશિષ્ય પણ કોઈને પ્રવજ્યા આપે છે? મુંડિત કરે છે? મહાવીરઃ હા. ગતમ! તેના શિષ્ય પ્રશિષ્ય પણ પ્રવજ્યા દે છે. મુંડિત કરે છે. ગૌતમ: હે ભગવન્! શું તે કેવળી ભગવાન તે જ ભાવમાં સિદ્ધ, બુદ્ધ, મુક્ત થઈને સર્વ દુઃખને અંત લાવશે? મહાવીરઃ હા. ગૌતમ ! તે, તે જ ભવમાં સિદ્ધ, બુદ્ધ, મુક્ત થઈને સર્વ દુઓને નાશ કરશે.
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy