SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ અણગારેની શક્તિ ભગવતી શ–8. ઉ–૪. ૫૯ નવું કર્મ દાખલ થતું નથી. તેથી તે પુરુષ મુક્ત થાય છે. એ વાત સાચી છે કે, શરીર કાયમ છે ત્યાં સુધી શેડી ઘણી શારીરાદિક ક્રિયાઓ થવાની જ. પરંતુ તેવા સંયમી અણુગારની તેવી બધી ક્રિયાઓથી બંધાતું કર્મ પ્રથમ સમયે આત્મામાં બંધાય છે. બીજે સમયે તેનું ફળ ભેગવાઈ જાય છે. (તે ફળ પણ સુખરૂપ હોય છે, દુઃખરૂપ નહિ) અને ત્રીજે સમયે તે આત્માથી છૂટું પડી જાય છે. એ રીતે તે તરત જ અકર્મરૂપ થઈ જાય છે. એ ક્રિયાને ઐપથિકી ક્રિયા કહે છે. ગૌતમ ઃ ભગવાન ! “ઉપયોગ એટલે કે આત્મજાગૃતિસાવધાની સિવાય ગમનાદિ, તેમ જ ગ્રહણાદિ ક્રિયાઓ કરનાર સાધુને ઐર્યાપથિકી કિયા લાગે કે સાંપરાયિકી? મહાવીર ઃ ગૌતમ! ઐયંપથિકી ન લાગે, પણ સાંપરાયિકી લાગે. કારણ કે જેનાં કાધ-માન-માયા અને લોભ ત્રુચ્છિન્ન થયાં હોય તેને જ ઐયપથિકી ક્રિયા હોય, પણ જેનાં ક્રોધાદિ ક્ષીણ ન થયાં હેય તેની સાંપરાયિકી ક્રિયા જ હેય. કસૂત્રને અનુસારે વર્તતા સાધુને ઐયપથિકી ક્રિયા લાગે છે અને સૂત્ર વિરુદ્ધ વર્તનારને સાંપરાયિક લાગે છે. પરિશિષ્ઠ अहासुत्त रीयमाणस्स इरियावहि किरिया कज्जइ, उस्सुत्तं रीयमाणस्स संपराइया किरिया कज्जइ. આ પ્રમાણેને મૂળ પાઠ છે, અને તેને અર્થ વિસ્તાર નિચે છે. ક્ષયપશામજન્ય (પ્રથમના ચાર) ચારિત્ર ૧૦ ગુણસ્થાન સુધી હેય છે. અને ત્યાં સુધી ઈરિયાવહિ કિયાને સંભવ જ નથી. કષાયોને સર્વથા અભાવ થયા પછી જે ક્ષાયિક જન્ય ચારિત્ર (યથાખ્યાત) પ્રગટે છે ત્યારેજ ઈરિયાવહિ ક્રિયાને સંભવ છે. ગુણસ્થાનની અપેક્ષાએ ૧૧ થી ૧૩ ગુણસ્થાન સુધી જ, તે સીવાય અન્યત્ર કેઈપણ સ્થિતિમાં ઈરિયાવહિ ક્રિયા સંભવે નહિ માધુત્ત” શબ્દનો અર્થ અદાપુ – તેને સામાન્ય અર્થ એ છે કે “સૂત્ર અનુસાર
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy