SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતી ઉપમા પ્રદક્ષિણા કરી મને નમન કર્યું અને કહ્યું, “ભગવાન ! આ ચમર તમારે આશરો લઈને મને મારી શોભાથી ભ્રષ્ટ કરવા આવ્યું હતું, તેથી મેં આ વજ તેની પાછળ મૂકયું હતું.” એમ કહી, ક્ષમા માગી તે પાછો ફર્યો અને ઉત્તર-પૂર્વ ભાગમાં થોડે દૂર ગયા પછી ત્રણ વાર ડાબે પગ પૃથ્વી ઉપર પછાડી તેણે મને કહ્યું કે, “હે અસુરેન્દ્ર, અસુરરાજ ચમર! શ્રમણ ભગવંત મહાવીરના પ્રભાવથી તું બચી ગયા છે. હવે તને મારાથી જરા પણ ભય નથી.” આમ કહીને તે ચાલ્યા ગયે. ગૌતમ : હે ભગવન્! પિતે હાથે ફેંકેલી વસ્તુને તેની પાછળ દેડી દેવ પકડી શકે? ' મહાવીર ઃ હા. ગતમ! વસ્તુને જ્યારે ફેંકવામાં આવે છે, ત્યારે તેની ગતિ ઉતાવળી હેય છે, અને પછી મંદ થઈ જાય છે, જ્યારે મેટી ત્રાદ્ધિવાળા દેવ તે પહેલાં અને પછી પણ શીવ્ર ગતિવાળો હોય છે, તેથી તેને પકડી શકે છે. - ગૌતમ : હે ભગવન્! તે પછી દેવેંદ્ર શક પિતાના હાથે અસુરેન્દ્ર ચમરને કેમ ન પકડી શ ? મહાવીર ઃ હે ગૌતમ! અસુરકુમારે નીચે બહુ શીધ્ર જઈ શકે છે અને ઉપર બહુ મંદ રીતે જઈ શકે છે, જ્યારે વૈમાનિક દેવે ઊંચે બહુ જલદી જઈ શકે છે પણ નીચે બહુ મંદ રીતે જઈ શકે છે. એક સમયમાં શક જેટલે ભાગ ઉપર જઈ શકે છે, તેટલું જ ઉપર જવાને વજને બે સમય લાગે છે, અને ચમરને ત્રણ સમય લાગે છે. પરંતુ અસુરેન્દ્ર ચમર એક સમયમાં જેટલું નીચે જઈ શકે, તેટલું નીચે જવાને શકને બે સમય લાગે છે અને વજને ત્રણ સમય લાગે છે. - હવે વજના ભયથી મુક્ત થયેલે, અને દેવરાજ શક દ્વારા મોટા અપમાનથી અપમાનિત થયેલ. તથા શેક સાગરમાં ડૂબેલે અસુરેન્દ્ર વિચાર કરવા લાગ્યું કે, શ્રમણ ભગવંત મહાવીરના પ્રભાવથી જ હું બચી ગયે છું. પછી તેણે પિતાના સામાનિકને જ કહ્યું કે, હે દેવાનુ1 + જેઓ આયુષ્ય આદિમાં ઇદ્ર સમાન છે. પણ જેમનામાં ફકત ઈત્વ નથી તેવા દે.
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy