SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૩ ૩. અંગાર દોષ ૪. ધૂમ્ર દોષ अंगारसधूमोवमचरणिंधणकरणमावओ जमिह । રસ્તો કુદ્દો મુંન તં ગંદં ર ઘૂમં ૨ ૨૪મા (પિ. વિ. ૯૭) જેમ અગ્નિ લાકડાંને સર્વથા બાળીને અંગારા સમાન બનાવે છે અને અર્ધબાળવાથી ધુમાડાવાળું કરે છે, તેમ સાધુ આહાર વાપરતાં આહારનાં કે આહાર બનાવનારનાં વખાણ કરે-પ્રશંસા કરે તો તેથી રાગરૂપી અગ્નિથી ચારિત્રરૂપી લાકડાંને અંગારા સમાન બનાવે છે. અને જો વાપરતી વખતે આહારની કે આહાર બનાવનારની નિંદા કરે તો તેથી શ્રેષરૂપી અગ્નિથી ચારિત્રરૂપી લાકડાંને ધુમાડાવાળા બનાવે છે. રાગથી આહારને વખાણ કરતો વાપરે તો અંગારદોષ લાગે છે. ષથી આહારની નિંદા કરતો વાપરે તો ધૂમ્રદોષ લાગે છે. માટે સાધુએ આહાર વાપરતાં વખાણ કે નિંદા કરવી ન જોઈએ. આહાર જેવો હોય તેવો સમભાવથી રાગ-દ્વેષ કર્યા સિવાય વાપરી લેવો જોઈએ, તે પણ કારણ હોય તો વાપરવો તે સિવાય ન વાપરવો. ઇતિ તૃતીય-ચતુર્થ અંગાર દોષ-ધૂમ્ર દોષ નિરૂપણ.
SR No.023138
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay, Kirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy