SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૩ ૮. અપરિણત દોષ अपरिणयंमि य दुविहं दव्वे भावे य दुविहमेक्केक्कं । રāમિ દોરું છવ માર્વનિ ય દોઃ ાિર્તા પાટદ્દા (પિ. નિ. ૩૦૯) અપરિણત (અચિત્ત નહિ થયેલ) ના બે પ્રકાર. ૧ દ્રવ્ય અપરિણત અને ભાવ અપરિણત. તે આપનાર અને લેનારના સંબંધથી બન્નેના બે બે પ્રકાર બને છે. 2 આપનારથી દ્રવ્ય અપરિણત-અશનાદિ અચિત્ત બનેલું ન હોય તે પૃથ્વીકાયાદિ છ પ્રકારે. ૨ લેનારથી દ્રવ્ય અપરિણત-અચિત્ત બનેલું ન હોય તે પૃથ્વીકાયાદિ છ પ્રકારે. અપરિણતનું દષ્ટાંત-દૂધમાં મેળવણ નાખ્યું હોય, ત્યાર બાદ જ્યાં સુધી દહીં ન બને ત્યાં સુધી તે અપરિણત કહેવાય. નહિ દૂધમાં નહિ દહીંમાં. આ પ્રમાણે પૃથ્વીકાયાદિકમાં અચિત્ત બન્યું ન હોય ત્યાં સુધી અપરિણત કહેવાય. અર્થાત્ દૂધ દૂધપણાથી ભ્રષ્ટ થઈ દહીંપણાને પામે ત્યારે પરિણત કહેવાય છે અને દૂધપણું અવસ્થિત-પાણી જેવું હોય તો તે અપરિણત કહેવાય છે. અશનાદિ દ્રવ્ય દાતારની સત્તામાં હોય ત્યારે આપનારનું ગણાય અને લીધા પછી લેનારની સત્તાનું ગણાય. ૩ આપનારથી ભાવ અપરિણત-જે અશનાદિના બે અથવા વધારે સંબંધીનું હોય અને તેમાંથી એક આપતો હોય અને બીજાની ઇચ્છા ન હોય તે. ૪ લેનારથી ભાવ અપરિણત-જે અશનાદિ લેતી વખતે સંઘાટ્ટક સાધુમાંથી એક સાધુને અચિત્ત કે શુદ્ધ લાગતું હોય અને બીજા સાધુને સચિત્ત કે અશુદ્ધ લાગતું હોય તે.
SR No.023138
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay, Kirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy