SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ શ્રી પિડનિર્યુક્તિ-પરાગ ઉન્મત્તમાં ઉપર મત્તમાં કહ્યા મુજબના વમનદોષ સિવાયના દોષો લાગે. અપવાદ – તે પવિત્ર હોય, ભદ્રક હોય અને શાંત હોય તો લેવું કહ્યું. ૫ વેપમાન - શરીર કંપતું હોય તેની પાસેથી ભિક્ષા લેવી કહ્યું નહિ. શરીર કંપતું હોવાથી તેના હાથે ભિક્ષા આપતાં વસ્તુ ઢોળાઈ જાય, કે પાત્રમાં નાખતા બહાર પડે અથવા ભાજન આદિ હાથમાંથી નીચે પડી જાય તો, ભાજન તૂટી જાય, છકાય જીવની વિરાધના આદિ થાય માટે ભિક્ષા લેવી કહ્યું નહિ. અપવાદ – શરીર કંપતું હોય, પણ તેના હાથ જો સ્થિર હોય કંપતા ન હોય તો લેવું કહ્યું. ૬ વરિત - તાવ આવતો હોય તેની પાસેથી લેવું કહ્યું નહિ ઉપર મુજબના દોષો લાગે, ઉપરાંત તેનો તાવ કદાચ સાધુમાં સંક્રમે, લોકોમાં ઉદ્દાહ થાય કે “આ કેવા આહાર લંપટ છે કે તાવવાળા પાસેથી યે ભિક્ષા લે છે.” માટે તાવવાળા પાસેથી ભિક્ષા લેવી કલ્પ નહિ. અપવાદ - તાવ ઊતરી ગયો હોય-ભિક્ષા આપતી વખતે તાવ ન હોય તો લેવી કલ્પ. ૭ અંધ – આંધળા પાસેથી ભિક્ષા લેવી ન કલ્પે. . શાસનનો ઉહ થાય કે “આ આંધળો આપી શકે એમ નથી છતાં આ પેટભરા સાધુઓ તેની પાસેથી ભિક્ષા ગ્રહણ કરે છે.” આંધળો દેખતો નહિ હોવાથી જમીન ઉપર રહેલા છ જવનિકાયની વિરાધના કરે, પત્થર આદિ વચમાં આવી જાય તો નીચે પડી જાય, તો તેને વાગે, ભાજન ઉપાડ્યું હોય અને પડી જાય તો જીવોની વિરાધના થાય. આપતાં બહાર પડી જાય વગેરે દોષો હોવાથી આંધળા પાસેથી ભિક્ષા લેવી કહ્યું નહિ. અપવાદ - શ્રાવક કે શ્રદ્ધાળુ આંધળા પાસે તેના પુત્રાદિ હાથ પકડીને અપાવે તો ભિક્ષા લેવી કલ્પ. ૮ પ્રચલિત - ગલતો કોઢ વગેરે ચામડીનો રોગ જેને થયેલો હોય તેની પાસેથી ભિક્ષા લેવી કલ્પે નહિ. કોઢમાંથી પાણી ઝરતું હોય કે ગુમડા આદિમાંથી રુધિર ઝરતું હોય તો તેવો રોગ સાધુમાં સંક્રમ થવાનો સંભવ છે. માટે રોગવાળા પાસેથી ભિક્ષા લેવી કલ્પ નહિ. અપવાદ - નખ લગાવવાથી પણ ઝરે નહિ, કે ખબર પડે નહિ, ગોળાકાર
SR No.023138
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay, Kirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy