________________
૧૧૯
૪. પિહિત દોષ सञ्चित्ते अश्चित्ते मीसग पिहियंमि होइ चउ भंगो ।
સાત્તિને પડદો ચરિને મંમિ મય ૩ ૭૮ા (પિ. નિ. ૫૫૮) સાધુને આપવા માટેનું અશનાદિ સચિત્ત, મિશ્ર કે અચિત્ત હોય અને તે સચિત્ત, અચિત્ત કે મિશ્રથી ઢાંકેલું હોય એટલે આવા સચિત્ત, અચિત્ત અને મિશ્રથી ઢાંકેલાની ત્રણ ચતુર્ભગી થાય છે. દરેકના પહેલા ત્રણ ભાંગામાં લેવું કહ્યું નહિ. છેલ્લા ભાંગામાં ભજના એટલે કોઈમાં કહ્યું કોઈમાં ન કહ્યું,
પહેલી ચતુર્ભગી 2 સચિત્ત વડે સચિત્ત ઢાંકેલું. ર મિશ્ર વડે સચિત્ત ઢાંકેલું. ૩ સચિત્ત વડે મિશ્ર ઢાંકેલું. ૪ મિશ્ર વડે મિશ્ર ઢાંકેલું.
બીજી ચતુર્ભગી ? સચિત્ત વડે સચિત્ત ઢાંકેલું. ૨ અચિત્ત વડે સચિત્ત ઢાંકેલું. ૩ સચિત્ત વડે અચિત્ત ઢાંકેલું. ૪ અચિત્ત વડે અચિત્ત ઢાંકેલું.