SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ શ્રી પિડનિર્યુક્તિ-પરાગ આથી ધનપ્રિયા ચિંતાતુર છે, ત્યાં એક સાધુ તેના ઘેર ભિક્ષા માટે આવ્યા. ધનપ્રિયાને ચિંતાતુર જોઈ સાધુએ પૂછ્યું કે “ચિંતાતુર કેમ દેખાઓ છો ?' ધનપ્રિયાએ બધી વાત કરી. સાધુએ કહ્યું કે “ચિંતા ન કરશો, હું એવું ઔષધ આપીશ કે જેથી તમારી પુત્રી અભિન્નયોનિ વાળી થઈ જશે.” સાધુએ ઔષધ આપ્યું તે પાણી સાથે સુંદરીને પીવડાવ્યું. તે અભિનયોનિ વાળી થઈ ગઈ. ર ભિન્નયોનિનું-ચંદ્રાનના નગરીમાં ધનદત્ત નામનો સાર્થવાહ રહેતો હતો. તેને ચંદ્રમુખી નામની પત્ની હતી. એક વખત પતિ-પત્નીને પરસ્પર ખૂબ ઝગડો થયો, એટલે રોષમાં આવી જઈ ધનદત્તે તે નગરમાં કોઈ ધનવાનની પુત્રી સાથે વિવાહ કર્યો. ચંદ્રમુખીને ચિંતા થવા લાગી. એટલામાં જંઘા પરિજીત નામના સાધુ ભિક્ષાએ આવ્યા. ચિંતાવાળી જોઈ સાધુએ પૂછવું એટલે ચંદ્રમુખીએ શોક્ય લાવવા સંબંધી વાત કરી. સાધુએ કહ્યું કે “તમે ચિંતા કરશો નહિ, હું ઔષધ આપું તે તમે કોઈ રીતે તેને ખવડાવી દેજો, એટલે ભિન્નયોનિ વાળી થઈ જશે.” ઔષધ આપ્યા પછી તમારા પતિને જણાવજો કે “તમે લગ્ન કરવા માગો છો પણ તે કન્યા તો ભિન્નયોનિ વાળી છે, આ જાણીને તેની સાથે લગ્ન નહિ કરે.” ચંદ્રમુખીએ તે ઔષધ તે સ્ત્રીને ખવડાવી દીધું, એટલે તે સ્ત્રી ભિન્નયોનિ વાળી બની ગઈ. પછી ધનદત્તે તેની સાથે લગ્ન કર્યા નહિ. ૩ લગ્ન કરાવવાનું-એક ગામમાં એક ગૃહપતિ રહેતો હતો. તેની કન્યા ઉમરલાયક થઈ હતી પણ પરણાવી ન હતી. એક વખત એક સાધુ તેના ઘેર ભિક્ષાએ આવ્યા. તેમણે આ કન્યાને જોઈ તેની માતાને કહેવા લાગ્યો કે “આ તમારી પુત્રી યૌવનવયમાં આવી છે, તેના હમણાં લગ્ન નહિ કરો તો કોઈ તરૂણ આદિ સાથે અકાર્ય આચરશે તો તમાકા કુલમાં મલિનતા લાગશે. વળી લોકમાં પણ કહેવત છે કે તાન્તિો નર ઘોરા, યવન્તો રવિવ:' જો કુંવારી ઋતુવાળી થાય તો રુધિરના જેટલાં બિંદુઓ પડે તેટલીવાર તેની માતા નરકમાં જાય.'
SR No.023138
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay, Kirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy