SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૭ ૧૪ ચૂર્ણપિંડ દોષ ૧૫ યોગપિંડ દોષ ૧૬ મૂલકર્મપિંડ દોષ चुन्ने अंतद्धाणे चाणक्के पायलेवणे जोगे । મૂત્ર વિવાદેવ વંડો કમાવા પરિસાદે પાદરા (પિં. નિ. ૫૦૦) ૧૪ ચૂર્ણપિંડ-અદશ્ય થવું કે વશીકરણ કરવા, આંખમાં આંજવાનું અંજન તથા કપાળમાં તિલક કરવા વગેરેની સામગ્રી તે ચૂર્ણ કહેવાય. ભિક્ષા મેળવવા માટે આવા પ્રકારનાં ચૂર્ણનો ઉપયોગ કરવો, તે ચૂર્ણપિંડ કહેવાય. ૧૫ યોગપિંડ-સૌભાગ્ય અને દૌર્ભાગ્યને કરવાવાળા પાણી સાથે ઘસીને પીવામાં આવે તેવા ચંદન આદિ, ધૂપનો વાસ આપવાવાળા દ્રવ્ય વિશેષો તથા આકાશગમન, જળસ્થંભન આદિ કરે તેવા પગે લગાડવાના લેપ વગેરે ઔષધિઓ યોગ કહેવાય. ભિક્ષા મેળવવા માટે આવા પ્રકારનાં યોગનો ઉપયોગ કરવો, તે યોગપિંડ કહેવાય. ચૂર્ણપિંડ ઉપર ચાણાક્ય જાણી લીધેલા બે અદશ્ય સાધુનું દૃષ્ટાંત, પાદલેપનરૂપ યોગપિંડ ઉપર શ્રી સમિતસૂરિનું દૃષ્ટાંત, મૂલકર્મપિંડ ઉપર અક્ષતયોનિ તથા ક્ષતયોનિ કરવા ઉપર બે સ્ત્રીનું દૃષ્ટાંત, વિવાહ વિષયક મૂલકર્મપિંડ ઉપર પણ બે સ્ત્રીનું દષ્ટાંત અને ગર્ભાધાન તથા ગર્ભપાડનરૂપ ભૂલકર્મપિંડ ઉપર રાજાની બે રાણીઓનું દૃષ્ટાંત.
SR No.023138
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay, Kirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy