SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯ ૧. ધાત્રીપિંડ દોષ खीरे य मजणे मंडणे य कीलावणंकटाई य । પ્રોડા વિવિદ ર રાવને વેવ ા પદ (પિ. નિ. ૪૧૦) બાળકનું રક્ષણ કરવા રાખેલી સ્ત્રી તે ધાત્રી કહેવાય. તે પાંચ પ્રકારની હોય છે. 2. બાળકને સ્તનપાન કરાવનારી, ૨. બાળકને સ્નાન કરાવનારી, ૩. બાળકને વસ્ત્ર આદિ પહેરાવનારી, ૪. બાળકને રમાડનારી અને ૫. બાળકને ખોળામાં રાખનારી-આરામ કરાવનારી. દરેકમાં બે પ્રકારો. એક પોતે કરે, બીજો બીજા પાસે કરાવરાવે. પૂર્વકાળમાં રાજાઓ શ્રીમતી વગેરે પોતાના વૈભવને અનુસાર પાંચે ય કે તેથી ઓછી ધાત્રીઓ રાખતા હતા. હાલમાં તેવા પ્રકારનો વૈભવ નહિ હોવાથી કોઈને ત્યાં તેવી ધાત્રીઓ વિશેષ જોવામાં આવતી નથી. સાધુ ધાત્રીપણું કેવી રીતે કરે ? તે બતાવે છે. खीराहारो रोवइ मज्झ कयासाय देहि णं पिज्जे । પછી ૩ માછી મુઝો વ મ પાપકા (પિ. નિ. ૪૧૨) પૂર્વ પરિચિત ઘરમાં સાધુ ભિક્ષા માટે ગયા હોય, ત્યાં બાળકને રડતો જોઈને બાળકની માતાને કહે કે “આ બાળક હજી સ્તનપાન ઉપર જીવે છે, ભૂખ લાગી હશે એટલે રુદન કરે છે, માટે જલદી મને વહોરાવો, પછી બાળકને ધવરાવજો” અથવા એમ કહે કે “પહેલા બાળકને સ્તનપાન કરાવો પછી મને વહોરાવો,” અથવા તો કહે કે “હમણાં બાળકને ધવરાવી લો પછી હું વહોરવા આવીશ.”
SR No.023138
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay, Kirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy