SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧ લું ઉદ્દેશક-૧ [૧૭ ઉત્પાદ નામના પદાર્થને કહેવાવાળા ઉપરના ચારે પદે સમાન અર્થ વાલા છે અને તે ઉત્પાદ પર્યાય પણ કેવળજ્ઞાન જ હોઈ શકે કેમકે : અનંત સંસારમાં ભટકતાં જીવાત્માએ કઈ કાળે પણ કેવળજ્ઞાન નામને પદાર્થ મેળવ્યું નથી. માટે જ કર્મોને નાશ થયે કેવળજ્ઞાન અને મોક્ષપ્રાપ્તિ આ બે ફળ પ્રાપ્ત થાય છે. અને તે કર્મોનાં નાશમાં આ ચારે પદો સમાનાર્થ આ પ્રમાણે છે. પોતાની સ્થિતિ ક્ષય થયે કર્મો પોતાના સ્થાનથી ચાલે છે, એટલે ઉદયમાં આવે છે. ઉદયમાં આવેલા કર્મો ભેગવાય છે, અને ભગવાયેલા કર્મો આત્મપ્રદેશથી સર્વથા છુટા પડે છે. જ્યારે પાછળના પાંચ પદે ભિન્નાથ આ પ્રમાણે છે, છેદાનુ છેદયું આ પદમાં સ્થિતિબંધની વિચારણા છે, કેમકે સગી કેળવી પોતાના અંતકાળે ગનિરોધ કરવાની ઈચ્છાથી વેદનીય, નામ અને નેત્ર કર્મની દીર્ધ સ્થિતિને અપવર્તનો કરણથી અન્તમુહૂર્તની કરી લે છે. “ભેદતું ભેદાયું” આમાં રસબંધની વિચારણા છે. જે સમયે સ્થિતિઘાત કરાય છે, તે જ સમયે રસઘાત પણ કરે છે. “બળતું બળાયું” આમાં પ્રદેશબંધની વિચારણા છે. “મરતું મરાયું” આમાં આયુષ્કર્મની વિચારણા છે. અને છેલ્લા પદથી બધાએ કર્મોની નિર્જરાની વિચારણા છે. આ પ્રમાણે પાંચ પદોમાં ભિન્ન ભિન્ન અર્થ રહેલે. હોવાથી ભિન્નાથે કહેવાય છે. | E
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy