SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્થાન] [૭ વિનય વડે લલાટે હાથ જોડી, વિનમ્ર થઈ પ્રશ્ન કરે છે.' પર ૧. અનંતજ્ઞાનના સ્વામી, દેવાધિદેવ, ભગવાન મહાવીર સ્વામીને કેવળજ્ઞાન થયા પછી ત્રણ ભવ પૂર્વે ઉપાર્જિત કરેલ તીર્થકર નામકર્મને ઉદય થાય છે. અદ્વિતીય–અતિશયેની મહાસંપત્તિથી પરિપૂર્ણ ભગવાન સમવસરણમાં વિરાજમાન થઈને ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળ સંબંધી મર્ચલેક, અધેલક તથા ઊર્વલોકમાં રહેલા નવતત્ત્વ સંબંધી કઈક સમયે પૂછાયેલા અને કેઈક સમયે નહિ પૂછાયેલા તાનું સ્પષ્ટીકરણ કરે છે. ચાર જ્ઞાનનાં સ્વામી અને ભગવંતચરણેપાસક ભગવાન ગૌતમસ્વામી આદિ પોતાના જ્ઞાનની વૃદ્ધિ અર્થે તથા પર્ષદામાં વિરાજમાન ભવ્યજીના કલ્યાણ માટે પ્રશ્નો પૂછે છે. - ગણધર ભગવાન શ્રીસુધર્માસ્વામી જેઓ દેવાધિદેવ મહાવીર સ્વામીના શાસનની પાટ પરંપરાના આદ્ય પટ્ટધર મહાપુરૂષ છે. ૧૪ પૂર્વના જ્ઞાતા અને રચયિતા હવાના કારણે ભગવાન મહાવીર સ્વામીના શ્રીમુખેથી પ્રસારિત દિવ્યજ્ઞાનને સ્વયં કર્ણાચર કરેલું અને વૈરાગ્યથી પરિપૂર્ણ પોતાના મુખ્ય શિષ્ય શ્રી જંબુસ્વામીને આપેલું છે, માટે આ ચારે મહાપુરુષો અત્યન્ત પૂજનીય છે, શ્રદધેય છે. અને તેમના વચને મન-વચન તથા કાયાથી આદરણીય છે, કેમકે અનંત પર્યાયાથી પરિપૂર્ણ દશ્યમાન તથા અદશ્યમાન પદાર્થોનું વ્યાકરણ (સ્પષ્ટીકરણ) કેવળી ભગવાન વિના બીજે કેણ કરવા સમર્થ છે? કેવળજ્ઞાન પામ્યા વિનાને મહાપંડિત, મહાવરાગી, અને મહાતપસ્વી ગમે તે હોય તો પણ પદાર્થોનું સમ્યજ્ઞાન મેળવી શકે તેમ નથી. જે એક પદાર્થને પણ સમ્યક્ પ્રકારે ન જાણી શકે, તે
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy