SearchBrowseAboutContactDonate
Page Preview
Page 593
Loading...
Download File
Download File
Page Text
________________ પ૪૦] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ પિતાની સત્તાથી ખસે નહી. “વિ' એટલે વિશિષ્ટ-સંસારભરના સંપૂર્ણ દ્રવ્ય અને તેના અનંત પર્યાને સાક્ષાત કરનારા કેવળજ્ઞાનીને અનંત વિજ્ઞાન કહેવામાં આવે છે. અતીતદોષ–સત્તામાંથી સર્વથા ખસી ગયેલા છે રાગદ્વેષ–મેહ આદિ દેશે જેમાં તે અતીતષ કહેવાય છે. અબાધ્ય સિદ્ધાન્ત–સ્યાદ્વાદ મુદ્રાથી મુદ્રિત જેમના 'સિદ્ધાંતને કોઈ પણ વાદી–પ્રતિવાદી–વિતંડાવાદી બાધા પમાડી શકે તેમ નથી. અમાત્ય પૂજ્ય–સામાન્ય દેવતાઓના પણ પૂજ્ય છે. અનંત વિજ્ઞાનની સાથે અતીતષ વિશેષણ એટલા માટે સાર્થક છે કે, “અનંતવિજ્ઞાન એટલે કેવળજ્ઞાન જે મહાપુરુષોને હોય તેમને મેક્ષ સર્વથા અવ્યાબાધ છે, છતાં પણ જેઓ પિતાના મતના તિરસ્કાર તથા બાધા જોઈને ફરીથી જન્મ ધારે છે તેઓ દોષાતીત હોઈ શકે નહિ કારણકે ફરીથી જન્મ લેવાને અર્થ જ આ છે કે પિતાના સ્થાપેલ મત ઉપર રાગ અને પિતાના મતને તિર સ્કાર કરનારને દંડ દેવે તે દ્વેષ છે આ બંને મેહરાજાના પુત્રે જેવા રાગ અને દ્વેષ જેમના જીવનમાં હોય ત્યાં સંસારનું કેઈપણ દૂષણ શેષ રહેતું નથી. માટે દાની સદૂભાવનામાં જ અવતાર લેવાનું હોય છે. કેવળી ભગવંતના બધાએ દોષ સમૂળ નાશ થયેલા હોવાથી તેમને જન્મ લેવાને છે જ નહી. કદાચ કોઈ કહે કે “અતીતદોષ” વિશેષણ ભલે રહ્યું કેમ કે જે અતીત દોષ હશે તે અનંત વિજ્ઞાન પણ હોય જ છે. આના જવાબમાં જાણવાનું કે “કઈ વાદીએ
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy