SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ શતક–૫ મું ઉદ્દેશક-૮ ] | [ ૫૩૭ દ્રવ્યને મતિજ્ઞાની સ્પશી પણ શકતો નથી. તેવી જ રીતે આપણો સ્વભાવ પણ મર્યાદિત છે, જેથી સંસારની ઘણી વસ્તુઓને જાણવાની ઉત્કંઠા પણ થતી નથી. આમાં આ જ્ઞાનની દુર્બલતા સ્પષ્ટ દેખાય છે જેથી દશ્યમાન પદાર્થોને પણ પૂરા જાણી શકતા નથી, પછી અદશ્યમાન પદાર્થોને જાણવાની તે વાત જ કયાં રહી? (૨) ઘણા પદાર્થો એવા છે કે જે આગમગમ્ય જ છે. અને આગમવાદે વર્તમાનમાં ગુરુગમ પણ નથી. આગમગમ્ય પદાર્થો હંમેશ માટે આગામગમ્ય (શ્રદ્ધાગમ્ય) જ હોય છે. (૩) રેયતત્ત્વની ગહનતાને લીધે પણ આપણું મતિજ્ઞાન તેમાં ઊંડે સુધી પ્રવેશ પામી શકતું નથી. (૪) જ્ઞાનાવરણીય કર્મને ઉદયકાળ પણ તીવ્ર છે. , જેથી ઘણા પદાર્થો આપણી સમજણમાં આવતા નથી. કેમકે મતિજ્ઞાનના ક્ષોપશમ કરતાં મતિજ્ઞાનાવરણીય કર્મ અનંતગણું વધારે છે. - (0) હેતુ અને ઉદાહરણના અભાવમાં પણ પદાર્થો સ્પષ્ટ જણાતા નથી. (૬) શ્રતજ્ઞાની પણ અનંતપદાર્થોને તથા પ્રત્યેક પદાર્થના અનંત પર્યાને જાણી શકતો નથી. કેમકે કેવળજ્ઞાની - જેટલા પદાર્થોને જાણે છે, તેટલા ઉપદેશી શકતા નથી. અને જેટલા ઉપદેશે છે, તેમાંથી અનંતમાં ભાગ્યેજ શાસ્ત્રોમાં ગૂંથાયા છે. આથી શ્રુતજ્ઞાન પણ બધા સેય પદાર્થોને સ્પશી શકતું નથી.
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy