SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચય ] દ્રવ્ય વેષધારી મુનિને જોઈને પણ જેમ આપણા મનમાં જૈનત્વને પ્રકાશ થાય છે. તેમ દ્રવ્યશ્રત પણ અત્યંત ઉપકારી હેવાથી વંદનીય છે. પૂરા સૂત્રને માટે મંગલાચરણ કર્યા પછી પ્રથમ શતકના પ્રારંભમાં પુનઃ દ્વાદશાંગીરૂપ શ્રુતજ્ઞાનને નમસ્કાર કરે છે. કેમકે શ્રુતજ્ઞાન અહંત પ્રવચનરૂપ હોવાને કારણે માંગલિક છે. સમવસરણમાં વિરાજમાન થતાં તીર્થકરે પણ “નમો તિર્થીક્સ” આ પ્રમાણે તીર્થ (શ્રત)ને નમસ્કાર કરે છે. તેથી આપણે માટે પણ શ્રુતજ્ઞાન વંદનીય અને બહુમાનનીય છે. અરિહંતે આપણે માટે પૂજ્યતમ છે, તે શ્રુતજ્ઞાન પણ પૂજ્યતમ જ છે. તારચતરિ તીર્થ–જે સંસાર સમુદ્રથી તારે તે તીર્થ. સંસાર સમુદ્રથી પાર પમાડવા માટે તીર્થસ્વરૂપ શ્રુતજ્ઞાન જ સર્વપ્રથમ અને સર્વશ્રેષ્ઠ કારણ છે, તે માટે જ કહ્યું છે કેજ્ઞાનને વંદો, જ્ઞાની મ નિંદ, જ્ઞાનીએ શિવસુખ ચાખીયું રે.... પ્રભુ મહાવીરે આ પ્રથમ શતક, કે જેમાં દશ ઉદેશા છે, એને અર્થ કયાં પ્રકા ? અને એ દશે ઉદ્દેશામાં મુખ્ય વિષય કર્યો છે, એનું કથન જે ગાથામાં કરવામાં આવ્યું છે તે નીચે મુજબ છે – रायगिहचलणदुक्खे कंखपओसे य पगइपुढवीओ । जाव ते नेरइए बाले गुरुए च चलणाओ । અર્થા–રાજગૃહ નગરીમાં, ૧ ચલન, ૨ દુઃખ, ૩ કાંક્ષાપ્રદેષ, ૪ પ્રકૃતિ, ૫ પૃથ્વી, ૬ યાવત્,૭નૈરયિક, ૮ બાલ, ૯ ગુરુક, અને ૧૦ ચલનાદિ–એ દશવિષયેનો અર્થ પ્રકા છે.
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy