SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૪ ] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ માટે સંપૂર્ણ અને સશક્ત જૈનશાસનને માન્ય અરિહંતે, ચક્રવતિઓ, બળદેવો, વાસુદેવ જે આ ભવમાં અને ત્રીજા ભવમાં અવશ્યમેવ મોક્ષે જનારા હોય છે, એ પુણ્યપુરુષે અત્યન્ત દયાપૂર્ણ હોવાથી તેમનું સંપૂર્ણ જીવન બીજા જીવોના હિતને માટે જ હોય છે. સર્વે જીવે દયાધર્મને પામનારા થાય, કામ ક્રોધને નાશ કરનારા થાય. અને પોતાની અનંત શક્તિને વિકાસ સાધનારા થાય એ પ્રમાણેની ભાવદયાથી ભરેલા અરિહંત દેવેનું નામ–ઉચ્ચારણ પણ જીવરાશિના પાપને નાશ કરે છે. તેમનું શરીર (મૂર્તિ) પણ ઘણા ને શાન્તિ અને સમાધિ આપે છે. તેમને જન્મ સંસારવતી. પ્રાણીઓનાં રોગ–શેક–સંતાપ-દુઃખ, દારિદ્રય, વૈર તથા ઝેરને નાશ કરાવી સૌપ્ર અલૌકિક પ્રકાશ દેખાડે છે.” જ્યારે ચક્રવર્તિઓ, વાસુદેવ, બળદેવે પણ જૈનત્વને પૂર્ણ રૂપે સ્પર્શેલા હોવાથી સંસારમાં અહિંસા તથા દયાધર્મને પ્રચાર પોતાની શક્તિ વડે કરનારા હોવાથી શાન્તિને પ્રવતવનારા હોય છે. સંયમ તથા તપશ્ચર્યાની આરાધના વડે લબ્ધિવંત ચારણ મુનિઓનું જીવન કલ્યાણકારી જ હોય છે. મુનિધર્મની આરાધના કરનારા શ્રમણ અને શ્રમણિઓ સદેવ પરહિતમાં તત્પર હોય છે, કેમ કે તેમના પિતાના જીવનમાં સંપૂર્ણ જીવરાશિ સાથે મૈત્રીભાવજ હેાય છે. શ્રાવક અને શ્રાવિકાઓ પણ માર્ગાનુસારીના ૩૫ ગુણે તથા શ્રાવક ધર્મના ૨૧ ગુણોને પોતાના જીવનમાં આચરનારા હેવાથી બીજા જીવે સાથે દયાભાવવાળા હોય છે અને રાતદિવસ પર આત્માની ભજનમાં રત હોય છે, પ૬ અન્તપ અને ૩૦ રકમભૂમિ તથા દેવકર અને ઉત્તરકુરના યુગલિકે પણ ક્રોઈ
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy