SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદકીય પુરોવચન] [૩૮૭ ઘણાજ લાંબા કાળ સુધી બંધ રહેલા આ દરવાજાને વિ. સં. ૧૩૬૦ના વર્ષમાં લક્ષણવતી નગરીના (રાજા) હમ્મીર અને સુલતાન સમદ્દીને તોડી નાખ્યું અને તેના સુંદર પત્થરે તેઓ લઈ ગયા. | માટે પ્રાતઃકાળના મંગળ પ્રભાતે સેળ સતીઓના છંદમાં ગવાય છે કે – કાચે તાંતણે ચાલણ બાંધી, કુવા થકી જલ કાઢીયું રે, કલંક ઉતારવા સતી સુભદ્રાએ, ચંપા બાર ઉઘાડીયાં રે.” આ પ્રમાણે આ નગરી સુભદ્રાના શિયળની પરીક્ષાના કારણે સ્મરણીય બની છે. ત્રીજી મહત્વની ઘટના કૌશાંબી નગરીમાં ચંદનબાળાના હાથે ભગવાન મહાવીર સ્વામીને મહાન અભિગ્રહ પૂર્ણ થયે હતે અને ૧૭૫ દિવસના ઉપવાસી ભ૦ મહાવીરે અહીં પારણું કર્યું હતું. ઘટના આ પ્રમાણે છે – આ નગરીમાં દધિવાહન નામને રાજા રાજ્ય કરતો હતો. તેની સ્ત્રીનું નામ ધારિણી હતું. તેને એક કન્યા હતી. તેનું નામ વસુમતી (ચંદનબાળા) હતું. ભગવાન મહાવીર સ્વામીના સગા મામા અને વૈશાલી ગણતંત્રના મુખ્ય નાયક ચેડા મહારાજાને સાત પુત્રીઓ હતી. તેમાંની એક ધારિણી નામની પુત્રીના લગ્ન દધિવાહન રાજા સાથે કર્યા હતા અને મૃગાવતી નામની બીજી પુત્રીને શતાનિક રાજા સાથે પરણાવી હતી. એટલે સંબંધમાં સાઢુભાઈ હોવા છતાં પણ આ બન્ને રાજાઓ અહંકાર વશ આપસમાં લડયા અને તેમાં દધિવાહન રાજા હારી ગયે. ધારિણીએ પણ પિતાના
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy