SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૧) માટે પચ્ચખાણ કે તપ માટે કેઈ શક્યતા નથી. આ દષ્ટિએ દેવ કરતા માનવ જન્મ ઉચ્ચ અને શ્રેષ્ઠ ગણાય છે. તેથી જ કહેવાયું કે ન માનુરાત્ત શ્રેષ્ઠતાં ફિ નિશ્ચિત માનવીથી કેઈ વધારે ચડિયાતું નથી. બહુ ઊંડું મંથન કરીએ તે આપણને ખાતરી થશે કે, માનવે મૃત્યુ પછી મુક્તિ અને તે શકય ન હોચ તે ફરી માનવજન્મ પ્રાપ્ત કરવા પોતાનું લક્ષ કેન્દ્રિત કરવું જોઈએ, મૃત્યુ પછી દેવગતિમાં જવાની ઈચ્છા રાખવી એ તો માણસ માટે નીચલી કક્ષામાં જવા જેવું– માનવ જન્મનું અપમાન કરવા જેવું હીન કાર્ય છે ત્યાગતપ–સંયમની પાછળ આવી ઉચ્ચતમ દૃષ્ટિ અને ભાવના કેળવવી જોઇએ. આ દષ્ટિએ માનવનિ પ્રાપ્ત કર્યા પછી પણ, આપણે જે રાગ–ષ અને વિષયકષાયોમાં ફસાયેલાં રહીએ. તો આપણાથી વધુ મૂર્ખ કોને કહેવા એ એક કોયડે છે. માનવને વેદના, આઘાત અને વ્યથા શા માટે જોગવવા પડે છે, તેની ચર્ચા બહુ સુંદર રીતે ત્રીજા શતકના સાતમા ઉદ્દેશક કરતાં, પૂ. ૫. શ્રી પૂનવિજયજી મહારાજ સાહેબે સ્પષ્ટ શબ્દોમાં સાચું જ કહી દીધું છે કેઃ “ક્રિયા જન્ય કર્મ અને કર્મજન્ય વેદના હોય છે. મુનિવેષને ધારણ કર્યા પછી પ્રમાદને વશ થઈને મુનિરાજે પણ ઉપયોગ શૂન્ય બનીને ખાવાપીવાની, ગમનાગમન કરવાની, સૂવા ઉઠવાની ક્રિયાઓ કરશે, તે ચેકસ રીતે ભગવતીસૂત્ર સાક્ષી આપે છે કે, તે મુનિરાજો પણ કર્મને બાંધશે અને તેમને માટે પણ સંસારનું ચક્કર સદૈવ તયાર જ છે” (પાન ૨૫૪) “અરિત્ર ચાગનું સ્પષ્ટીકરણ શીર્ષક નીચેની વિસ્તૃત માં (પાન ૩૩૫) પૂ. મહારાજશ્રીએ અનાસકત ભાવે છગન સ્કવવાની વાત પર ખૂબ જ ભાર મૂકતાં સાચું જ કહુ છે કે “પુ ,
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy