SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૩નું ઉદ્દેશક-૯] ( આ પ્રમાણે આત્માના પ્રયોગથી–ઉપયોગથી, ઈન્દ્રિ કાર્યરત બને છે. અનાદિ કાળથી કર્મોના ભારથી દબાઈ , ગયેલા આત્માને પ્રતિક્ષણે રાગ-દ્વેષને ઉદય હેવાના કુારણે કેઈક સમયે આ જીવાત્માને સફેદ કપડું ગમે છે. અને બીજા ક્ષણે તે કપડું મુદ્દલ ગમતું નથી. એક સમયે મીઠો રસ ગમે છે. ત્યારે બીજી ક્ષણે મીઠા રસ પ્રત્યે અણગમો થવાથી ખાટો રસ ગમે છે. આ જ પ્રમાણે એક ક્ષણે જે ' માણસ સાથે અત્યંત રાગ પૂર્વક મૈત્રી સંબંધ રાખ્યા હોય છે ત્યારે બીજા દિવસે તે જ માણસ વૈરી થાય છે. આ જ પ્રમાણે પદાર્થોના વિષયને ગ્રહણ કરવામાં આત્માને સ્વભાવ જ જુદે જુદે હોય છે. તેથી પદાર્થ માત્ર એક સમયે સારે અને બીજા સમયે નઠારે બનતું નથી. પદાર્થ પોતાના મૂળ સ્વભાવમાં પૂર્વવત્ જ હોય છે. પણું આપણે આત્મા પોતે રાગ-દ્વેષને વશ થઈને પદાર્થોના વિષયેને ગ્રહણ કરવામાં જેવા પ્રકારના ઉપગમાં પરિણત થાય છે તે જ પ્રમાણે ગ્રહણ કરાતાં પદાર્થોના વિષયનું પરિણમન પણ તેવું જ થાય છે. પદાર્થ સ્વતઃ ખરાબ નથી. તેમજ સરસ નથી પણ મેહમાયાના કુસંસ્કારોથી કુવાસિત થયેલા આત્માને એક સમયે જે પદાર્થ પ્રત્યે રાગ જમે છે ત્યારે બીજી ક્ષણે તે જ પદાર્થ પ્રત્યે દ્વેષ આવે છે. માટે “કઈક સમયે રાગમાં તે કેઈક સમયે દ્વેષમાં અનંતકાળ ગુમા રે - જ્યારે તેજ આત્મા જ્ઞાન-ધ્યાનના સુસંસ્કારથી સંસ્કારિતા થાય છે ત્યારે પ્રત્યેક પદાર્થ પ્રત્યે, તે સમાન બુદ્ધિવાલે બને છે. તેવા પ્રસંગે પુણ્યદયને લઈને મનગમતા પદાર્થો
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy