SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ સમચતુર સંસ્થાનવાલા હોવાથી સારા લક્ષણેથી દેવીપ્યમાન હતાં. વજાષભનારા સંઘયણવાલા એટલે કે તેમના શરીરના હાડકા ઘણાજ મજબૂત હતાં. સુવર્ણ સમાન શોભાયમાન કાન્તિવાલા હતાં. ઉગ્ર—દીપ્ત એવા મહાતપને કરનારા હતાં. ગુણસમ્પન્ન, ઉદાર અને ૧૪ વિદ્યાના જાણકાર હતાં. પૂર્ણ સંચમી હોવાના કારણે શરીર વિભૂષાથી સર્વથા રહિત હતાં. ૧૪ પૂર્વધારી હતા અને તે પૂર્વે તથા દ્વાદશાંગીના રચનારા હતાં. ચાર જ્ઞાનનાં સ્વામી હોવાથી શ્રુતકેવળી હતાં. સર્વાક્ષર સનિપાતી જ્ઞાનવાલા હતાં સર્વોત્તમ વિનયવાન અને પૂર્ણ વિવેકી હતાં. તથા ભગવાન મહાવીરસ્વામી પ્રત્યે અનહદ રાણવાન હતાં. પૂર્ણ દયાલુ હોવાથી, અત્યાર સુધીના બધા પ્રશ્નો ભગવાન મહાવીરસ્વામીને કેવળ લોક-કલ્યાણની ભાવનાથી પૂછેલા છે. પિતાની જિજ્ઞાસાથે, તથા જીવમાત્ર જૈન શાસનને સમજે, આદરે, અને પોતાના જીવનનું ધ્યેય પૂર્ણ કરે તે આશયને લઈને પ્રશ્નો પૂછ્યાં છે. અને ચરાચર સૃષ્ટિના કલ્યાણેચ્છુ ભગવાન મહાવીરસ્વામીએ તેમના ઉત્તર આપ્યા છે. દેવેન્દ્રો સંબંધી પ્રશ્ન ત્રીજા શતકના આ ૧ લા ઉદેશમાં ખાસ કરીને દેવક સંબંધી વર્ણન છે. એટલે જુદા જુદા દેવલોકના ઈન્દ્રો, સામાન્ય નિક દેવ વગેરે સંબંધી પ્રશ્નોત્તરે છે. આ પ્રશ્નોત્તરે મકા નગરીના નંદન નામના ચીત્યમાં થયેલા છે તેમાંના કેટલાક પ્રશ્ન ભગવાનના બીજા ગણધર અગ્નિભૂતિએ કર્યા છે, તે કેટલાક ત્રીજા ગણધર વાયુભૂતિએ કર્યા છે. '
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy