SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૩ઃ સંપાદકનું પૂરવચન ] [ ૨૧૩ જેવાને ઉલ્લાસ હવે, આંખમાં આતુરતા હતી, કાનમાં ભગવાનની વાણી સાંભળવાની તીવ્ર ઝંખના હતી. હાથ જોડાયેલા હતાં. પગે ગતિ માટે તૈયાર હતાં, આ પ્રમાણે તે બધા ભાવુકે મેટા સામૈયા સાથે ગામની બહાર આવ્યા અને અરિહંતના સમવસરણને જોતા જ નમી પડયાં નાભી સુધીના શરીર ઝુકી ગયાં, અને શ્રદ્ધાપૂર્વક સમવસરણમાં આવીને ત્રણ પ્રદિક્ષાણ કરીને ચગ્ય સ્થાને બેઠા. સૌના કાને સાંભળવા તત્પર હતાં. શ્રદ્ધાથી પરિપૂરિત હદય હતું. આત્માને પરમાત્મપદે પહોંચાડવાની ભાવના હતી. ભગવાન બોલ્યા કે “હે ભાગ્યશાલિઓ? લેક છે, જીવ છે, અજીવ છે, પુણ્ય છે, પાપ છે, આશ્રવ છે, બંધ છે. સંવર છે, નિજર છે અને મોક્ષ છે.” જીવનભરમાં અને ભવભ્રમણ કરતાં સૌ પ્રથમ જ જાણે! આ શબ્દો કાને પડયાં તથા સૌના મનરૂપી મોર નાચવા લાગ્યાં, જીવનમાં નવી ચેતના આવી અને જાણે! ભવભ્રમણાને આંટે સફળ થયે એમ અનુભવાયું. કેટલાક ભાવુક પ્રવજ્યાના માર્ગે આવ્યા. તે કોઈએ સમ્યકત્વ વ્રત આદિ બાર વ્રત યથા ગ્ય સ્વીકાર્યા છે. અને ફરી ફરી ભગવાનને વાઘાં તથા સ્વસ્થાને જવા માટે ઉભા થયાં. ઉલ્લસિત થયેલા ભાવ મનથી સૌ એક અવાજે આ પ્રમાણે બેલ્યા. અરિહંત દેવેનું અમને શરણ હેજે સિદ્ધ ભગવંતેનું અમને શરણ હો જે જૈન ધર્મનું અમેને શરણ હોજો....... અને મુનિ ભગવંતેનું અમને શરણ હેજે.”
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy