SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ. શાસનદીપક મુનિ શ્રી વિદ્યાવિજયજી મહારાજને સક્ષિપ્ત પરિચય ..... પૂજયપાદ સ્વ. શાસનદીપક મુનિરાજશ્રી વિદ્યાવિજયજી મહારાજ સાહેબે ઘણા વર્ષો પહેલા શ્રી ભગવતી સૂત્રોને (શાબ્દિક ) અનુવાદ કરેલે! જે અત્યાર સુધી અપ્રકાશિત અવસ્થામાં હતા. તેમને પ્રકાશિત કરવાના વિચાર તેઓશ્રીના વિદ્વાન્ સુશિષ્ય પ’. પૂર્ણાન વિજયજી મહારાજને થયા અને તેથી મને પુના ખેલાવી તેની પ્રેસ કાપી અને પ્રુફ સ શેાધનનુ કામ સેાંપ્યું. અહિં એટલુ' લખી દઉ' કે પૂજ્યપાદ મુનિરાજ શ્રી વિદ્યાવિજયદાસજી મહારાજ સાહેબ સાથે મારા ઘનિષ્ઠ સંબધ રહ્યો છે અને તેમના શિષ્ય પંન્યાસજી શ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજ સાથે પણ આત્મીય બંધુ જેવેાજ સમાધ રહ્યો છે. પુસ્તક પૂરૂ થવા આવ્યું ત્યારે પન્યાસજી મહારાજે પૂજય વિદ્યાવિજયદાસજી મહારાજના આંતર જીવન સંબંધી એ અક્ષર હું લખું એમ પત્ર દ્વારા ઇચ્છા વ્યક્ત કરી અને તે મેં સહર્ષ સ્વીકારી લીધી. અનુવાદ ઉપર પન્યાસજી પૂર્ણાનંદ વિજયજી મહારાજે ભવ્ય જવાના હિતને લક્ષમાં રાખી વિસ્તૃત વિવેચન કરી વિષયને સરળ બનાવ્યેા છે અને પેાતાના પાંડિત્યની પણ ઝાંખી કરાવી છે. પુસ્તકનું નામ રાખવામાં આવેલું છે—‘ ભગવતીસૂત્ર સારસ ગ્રહ ’ કઈ પણ મહાપુરુષના આંતરજીવન વિષે લખવું ઘણું જ કઠણ છે. સામાન્ય માણસ મહાપુરુષના મનના ભાવે કે આંતરવૃત્તિઓનુ માપ શી રીતે કાઢી શકે ? સામાન્ય રીતે સ્વ-પર હિતના માટે માણસ સાધુ થાય છે અને એ રીતે
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy