SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૨ નું ઉદ્દેશક-૧] [૧૨૯ શ્રદ્ધા રાખું છું, પ્રીતિ રાખું છું, નિન્ય પ્રવચનને હું સ્વીકાર કરું છું. આપે જે કહ્યું તે સત્ય છે, સંદેહવિનાનું છે. - પછી ભગવાનને વંદન કરી તે ત્યાંથી ઈશાન ખૂણામાં ગયે. ત્યાં જઈ પિતાના ત્રિદંડ, કુંડિકા અને વચ્ચે વગેરે તમામ વસ્તુઓ એકાન્તમાં મૂકી. પછી ભગવાન પાસે આવી ત્રણ પ્રદક્ષિણા દઈ ભગવાનને નિવેદન કર્યું કે “ભગવન, ઘડપણ અને મૃત્યુના દુઃખથી આ સંસાર સળગેલે લાગે છે. બળતા ઘરમાંથી હલકે કે ભારે–જે હાથ આ તે સામાન ભવિષ્યના હિતને માટે માણસ બહાર કાઢે છે. તેમ મારો આત્મા પરલોકમાં હિતકર થાય, એટલા માટે આ સંસારના અનેક પ્રકારના રેગે, જીવલેણ દરદે, અને પરિષહ ઉપસર્ગોના નુકસાનથી બચાવી લેવા ચાહું છું. માટે હું ચાહું છું કે આપની પાસે હું પ્રવ્રજિત થાઉં, મુંડિત થાઉ, કિયાઓને શીખું, સૂત્ર અને તેના અર્થો ભણું, આપ કૃપા કરીને આચાર, વિનય, વિનયનું ફળ ચારિત્ર, પિંડવિયુદ્ધયાદિ કરણ, સંયમયાત્રા અને સંયમના નિર્વાહક આહારના નિરૂપણને પ્રકાશે, એવા ધર્મને કહે.” મહાવીરે પોતે સ્કંદકને દીક્ષિત કર્યા, અને ધર્મ પ્રકાશ્ય પછી કંઇક ભગવાન મહાવીરની આજ્ઞા પ્રમાણે–ઉત્તમચારિત્ર પાળવા લાગ્યા. અને સ્થવિરેની સાથે વિચરવા લાગ્યા. અને એ સ્થવિ પાસે તેમણે અગ્યાર અંગેનો અભ્યાસ કર્યો. આ પછી સ્કંદક અણગારે પિતાનું જીવન એક પછી એક જુદી જુદી તપસ્યા કરવામાં વ્યતીત કર્યું છે. ભગવતી સૂત્રમાં આ તપસ્યાઓનું વિસ્તારથી વર્ણન છે. અહિં સંક્ષેપથી કહીએ.
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy