SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮] [ભગવતીસૂત્ર સારસંગ્રહ આવી જ રીતે એકાન્ત પંડિતથી સાધુ જ લેવાનો છે. સર્વથા પ્રાણાતિપાતાદિને ત્યાગી, સર્વ વિસ્ત સાધુ, તે 'એકાંત પંડિત છે. અને બાલ પંડિત એટલે શ્રાવક. જેણે સ્થૂલથી હિંસાદિ પાપારંભેને ત્યાગ કર્યો છે તે. આવા એકાન્તબાલ, એકાન્ત પંડિત અને બાલપંડિતના આયુષ્ય સંબંધી જણાવવામાં આવ્યું છે કે એકાન્ત બાલ મનુષ્ય નૈરયિક, તિર્યંચ, મનુષ્ય અને દેવ નામે તે આયુષ્ય બાંધી શકે અને તે તે આયુષ્ય બાંધીને તે તે ગતિમાં જાય છે. આવ્યા છે અને ભવિષ્યમાં આવશે, તેમના ઉપર જ અહિંસા ભાવને પ્રયોગ અજમાવો જોઈએ, જેથી, તેમનું અહિંસક જીવન છેલ્લા શ્વાસ સુધી અમરફળ આપી શકે. - સંતાનોને દેવતાઈ સંસ્કાર આપવા હોય, ઘરમાં અને પોતાના હૈયાના મંદિરમાં જિનેશ્વરદેવના ધર્મની સ્થાપના કરવી હોય, તથા પોતાની સાત પેઢીઓને ઉજજવલ કરવાની ભાવના હોય તો પોતાની સ્ત્રી ગર્ભવતી થયા પછી તેની સાથે અથત જે દિવસે ગર્ભા ધાન થાય તે દિવસથી લઈને મૈથુનકર્મ, મલિન વિચારે, કામુકી ચેષ્ટાઓ અને ખાનપાનની અશુદ્ધિને ટાલવી જોઈએ. બસ! એ જ અહિંસા છે અને પોતાની ખાનદાનીમાં મહાવીર સ્વામીના અહિંસા ધર્મને સ્થાપના કરવા માટે આ જ એક પવિત્ર અને ઉત્તમ માર્ગ છે. જે માતાપિતાઓ પિતાને સંયમભાવ ન ટકાવી શકે.
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy