SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ ] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ પરિણમાવે છે. એક બીજી પણ નાડી છે. જે પુત્રના જીવ સાથે સંબંધ છે અને માતાના જીવને અડકેલી છે. એનાથી પુત્રને જીવ આહારને ચય અને અપચય કરે છે, આ જ કારણ છે કે પુત્રને જીવ મુખદ્વારા–કોળીયારૂપ આહાર લેવાને શકતા નથી. માતાનાં અંગો ત્રણ છેઃ માંસ, શેણિત–લેહી અને માથાનું ભેજુ. પિતાનાં અંગો ત્રણ છે: હાડકાં, મજા અને. કેશ–દાઢી, રેમ, નખ. આ માતા-પિતાના અંગો સંતાનના. શરીરમાં જીવતાં સુધી રહેનારું શરીર જેટલા કાળ સુધી, ટકે, તેટલા કાળ સુધી તે રહે છે, જ્યારે તે શરીર સમયે સમયે હીન થતું અને છેવટે જ્યારે નષ્ટ થાય છે, ત્યારે પહેલાં માતા-પિતાના અંગો પણ નાશ પામે છે. ગર્ભમાં ગએલા જીવ, માતા દુઃખી હોય તે દુઃખી અને સુખી હોય તે સુખી હોય છે. જે ગર્ભ પ્રસવ સમયે માથા દ્વારા કે પગદ્વારા આવે તે સરખી રીતે આવે છે જે આડ થઈને બહાર આવે તે મરણ પામે, કદાચિત્ જીવતો આવે છે અને જીવનાં કર્મો જે અશુભ રીતે બદ્ધ, પૃષ્ટ, નિધત્ત, કૃત, સ્થાપિત, અભિનિવિષ્ટ, અભિસમન્વાગત. સમ ન્વાગત, ઉદીર્ણ હોય અને ઉપશાંત ન હોય તો તે જીવ કદરૂપે દુવર્ણવાળા દુર્ગધવાળ, ખરાબ રસવાળા ખરાબ સ્પર્શવાળે. અનિષ્ટ અકાંત, અપ્રિય, અમનેશ, ખરાબ સ્વરવાળે અને અનાદેય વચનવાળે થાય છે અને કદાચિત તે શુભ કર્મોવાળો જીવ હોય તે બધું શુભ પણ હોય. પરતુ બનતા સુધી આડો થઈને જીવ જીવતો ન નીકળે, જે કે અત્યારે ઓપરેશનથી જીવતે નીકળે છે.
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy