SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ ] પ્રદેશ અને અનુભાગના અથ પ્રદેશ એટલે કર્માંનાં પુદ્ગલેા. જીવના પ્રદેશમાં જે કમ પુદ્ગલેા આતપ્રાત છે, તે પ્રદેશ-કમ કહેવાય છે, અને તેજ કમ પ્રદેશોના અનુભવાતા રસ અને તદ્રુરૂપ જે કમ તેનું નામ અનુભાગ ક` છે. આ એમાં પ્રદેશક નુ વેદવુ નિશ્ચિત છે. કહેવામાં આવ્યું છે કે આ ક પ્રદેશના વિપાક નથી અનુભવાતા છતાં કમ પ્રદેશાના નાશ તે નિયમે થાય. જ છે. અનુભાગ ક` વેદાય પણ છે, અને નથી પણ વેદાતું. પુદગલ [ ભગવતીસૂત્ર સારસ’ગ્રહ. આગળ પુદ્ગલના સબંધમાં કહેતાં પુદ્ગલ ભૂતકાળમાં હતાં, વમાનકાળમાં છે અને ભવિષ્યકાળમાં જરૂર રહેશે. ‘અહિં પુદ્ગલના અથ પરમાણુ કરવામાં આવ્યા છે.૧૪ ૧૪ ભગવાને ફરમાવ્યું કે—ગૌતમ! પુદ્ગલ પરમાણુએ ત્રણે કાળે શાશ્વત છે, કેમકે જે ‘ સત’ હાય છે, તે ક્ષેત્ર અને કાળને લઈને તિરાભાવ રૂપે અર્થાત્ રૂપાન્તર અવસ્થાને પામી શકે છે પરન્તુ સર્વથા નાશ અવસ્થાને પામતું નથી. જે પ્રલયકાળે સંસારના સર્વથા નાશ માને છે. તેમને હિતશિક્ષા આપતા દેવાધિદેવ ભગવાને કહ્યું કે—પરમાણુ એ. ભૂતકાળમાં હતાં, અત્યારે છે અને ભવિષ્યકાળે પણ રહેશે. બેશક, સામગ્રીવશથી તેઓનુ રૂપાન્તર થયા કરે છે, જેમ. માટીના પીંડમાંથી કુંભારના પ્રયત્ન વિશેષથી માટલું અને છે અને પાછું ફૂટે ત્યારે ઠીકરા રૂપ થઈને પાછુ સમય જતાં માટી દ્રવ્ય રૂપે પરિણમે છે. કેમકે માટી દ્રવ્ય સત્' છે, ગમે તેવા પ્રલયકાળમાં પણ રૂપાંતરને પામતુ તે સત્ સર્વથા નાશ પામતું નથી.
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy