SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ७४ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૮૫ર – તો જે અત્યંત દુઃખી મનુષ્ય-તિર્યો છે તે જ ઉત્કૃષ્ટ પાપનું ફળ હોવાથી તેમને જ નારકી કહો તો શું વાંધો છે? ઉત્તર-૮૫ર – ન કહેવાય, કારણ કે જે એવા ઉત્કૃષ્ટ પાપનું ફળ ભોગવનારા હોય તે સર્વ પ્રકારે દુઃખી જ હોવા જોઈએ. આવું દુ:ખ તિર્યંચ વગેરેને હોતું નથી. કેમકે પ્રકાશ-છાયાશીતલતા-નદી-દ્રહ વગેરે સુખના સાધનો તેમને હોય છે પણ ભયંકર છેદન-ભેદનના દુઃખો તેમને હોતા નથી. માત્ર નારકીઓને જ હોય છે. આગમમાં એમ પણ કહ્યું છે કે નારકોનું હંમેશાં તીવ્ર પરિણામવાળું દુઃખ જ હોય છે. માટે નારકીઓ છે એમ માની લે. બીજા અનુમાનથી નારકીની સિદ્ધિ : અકંપિત ! મારા બીજા વચન જેમ સત્ય છે. તેની જેમ “નારકીઓ છે એ કથન પણ મારું વચન હોવાથી સત્ય છે. હું તને ઈષ્ટ એવા જૈમિનીય આદિ સર્વજ્ઞના વચનની જેમ હું પણ સર્વજ્ઞ હોવાથી મારું વચન સત્ય છે; વળી ભય-રાગ અને દ્વેષ રહિત હોવાથી અને સર્વજ્ઞના લક્ષણથી હું સર્વજ્ઞ છું એમ જાણ. નદ વૈ પ્રત્યે નારા: સન્તિ' વગેરે પદોથી નારકીના અભાવની તને થયેલી શંકા યોગ્ય નથી. કેમકે એ પદોનો અર્થ આ પ્રમાણે છે – પરલોકમાં કોઈપણ નારકીઓ મેરૂ આદિની જેમ શાશ્વતા નથી. પણ જે આ લોકમાં ઉત્કૃષ્ટ પાપ કરે છે તે અહીંથી મરીને પરલોકમાં નારકી થાય છે. માટે કોઈએ પણ એવું પાપ ન કરવું કે જેથી પરભવમાં નારકી થવું પડે. (૯) અચલ ભ્રાતા - પુણ્ય-પાપ છે કે નથી? પુણ્ય-પાપના વિષયમાં પાંચ પ્રકારની માન્યતાઓ છે - (૧) એકલું પુણ્ય જ છે પાપ તો છે જ નહિ. (૨) એકલું પાપ જ છે પુણ્ય નથી. (૩) પુણ્ય-પાપ બંને મેચક-મણિની જેમ મિશ્ર છે. (૪) બંને સ્વતંત્ર છે. (૫) મૂળથી કર્મનો જ અભાવ હોવાથી જગતનો સર્વ વ્યાપાર સ્વાભાવિક છે. (૧) ફક્ત પુણ્ય જ છે - એ પ્રમાણે માનનારાઓ કહે છે કે પુણ્યનો ક્રમશઃ ઉત્કર્ષ થવાથી ઉચ્ચતા પ્રાપ્ત થાય છે. તેથી અનુક્રમે સુખની પણ વૃદ્ધિ થાય છે. એટલે છેવટે સ્વર્ગ સુખ મળે છે. તથા તે જ પુણ્યની અનુક્રમે હાનિ થતાં સુખની પણ હાનિ થાય છે અને નરકનું દુઃખ મળે છે. તથા સર્વથા પુણ્યનો ક્ષય થવાથી મોક્ષ મળે છે. (૨) ફક્ત પાપ જ છે - તેઓ ઉપર કહ્યાથી વિપરિત ભાવના કરે છે. જેમ અપથ્ય આહારની વૃદ્ધિથી રોગ વધે છે તેમ, પાપની વૃદ્ધિથી દુઃખ વૃદ્ધિરૂપ અધમતા પ્રાપ્ત થાય છે.
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy