SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૮૧૩ – પરંતુ એકાંતે સદેશતા થશે ભલેને ઉત્કર્ષ-અપકર્ષ ન થાય એમાં શું હાનિ થાય છે? ઉત્તર-૮૧૩ – તો આવા ઉત્કર્ષ-અપકર્ષના અભાવે દાનાદિ ક્રિયાઓ નિરર્થક થશે. કેમકે લોકો પોતાના ઉત્કર્ષ માટે પરભવમાં દેવપણા વગેરેની સમૃદ્ધિ મેળવવા દાનાદિ ક્રિયાઓ કરે છે, જો ઉત્કર્ષાપકર્ષ ન હોય તો ગરીબ માણસ આ ભવમાં દાન-તપતીર્થસ્થાનાદિ ધર્મક્રિયાઓ કરીને મરીને પરભવમાં પણ દરિદ્ર જ થાય તો કરેલી દાનાદિ ક્રિયાનું ફળ ક્યાં રહ્યું? માટે સદશતા માનવી બરાબર નથી. વળી, જો તું સદેશતા માનીશ તો વેદના પદો પણ અપ્રમાણ થશે. જેમકે “શૂનો વૈ પુષ નાયતે : સંપુરીષો ઢાતે" એટલે જે પુરુષને વિષ્ટાસહિત બળાય તે પરભવમાં શિયાળ થાય છે. વગેરે જે વેદમાં કહ્યું છે તે અસંબદ્ધ થશે. કેમકે તુ માને છે પુરુષ મરીને પુરુષ જ થાય તો પછી મરીને પરભવમાં શિયાળ કઈ રીતે થાય? તથા “ગ્નિહોત્ર કુદયાત્ વામ:' “નિષ્ટોન યમરીનમfમનતિ” વગેરે સ્વર્ગીય ફળ સૂચવનાર વેદ પદો પણ અસંબદ્ધ થશે કેમકે તારા મતે તો મનુષ્ય મરીને દેવ થાય નહિ. “પુરુષો વૈ પુરુષત્વમળ્યુતે, પાવ: પશુવં” આ વેદ પદોનો અર્થ આમ છે, કે જે પુરુષ આ ભવમાં સ્વભાવથી જ ભદ્ર-વિનીત-ઇર્ષ્યા વગરનો હોય તે મનુષ્ય નામ-ગોત્ર-કર્મ બાંધી મરણ પછી મનુષ્યત્વ પામે છે, પણ સર્વમનુષ્યોમાં નિયમા એમ જ થાય છે એવું નથી. અન્ય કર્મવશ અન્યગતિમાં કોઈ જુદા રૂપે પણ ઉત્પન્ન થાય છે, એ પ્રમાણે કોઈ પશુઓ પણ માયા વગેરે કરીને પશુનામ અને ગોત્ર કર્મ બાંધીને પરભવમાં પશુ થાય છે. પણ બધા પશુઓ એ પ્રમાણે પશુ થાય એમ નથી. કેમકે જીવની ગતિ કર્મને આધીન છે. (૬) મંડિક ગણધર - બંધ-મોક્ષ છે કે નહિ? હે મંડિક! વિરૂદ્ધ અર્થવાળા વેદ પદો સાંભળવાથી તેને બંધ અને મોક્ષ વિશે સંશય થયો છે. જેમકે વેદમાં કહ્યું છે “ પપ વિશે વિમુને વંધ્યતે સંસતિ વી, મુખ્યત્વે મોવતિ વા વા પણ વીમગંતાં વા વે” એનો અર્થ તું એવો કરે છે કે સત્ત્વ-રજો-તમો ગુણ રહિત વિભુ સર્વગત એવો આત્મા પુણ્ય-પાપ વડે બંધાતો નથી, તેના અનુસાર જુદી-જુદી ગતિમાં જતો પણ નથી, તેમજ કર્મથી મૂકાતો પણ નથી, બીજાને મૂકાવતો પણ નથી કેમકે બંધનો જ અભાવ છે. મહદ્અહંકાર વગેરે બાહ્ય વસ્તુ તેમજ આત્યંતર સ્વસ્વરૂપ પણ તે જાણતો નથી, કારણ કે જ્ઞાન એ પ્રકૃતિનો ધર્મ છે અને પ્રકૃતિ તે ચેતન છે. આ પદો બંધ અને મોક્ષનો અભાવ જણાવે છે તથા “ વૈ શરીરસ્ય....” (છાંદોપનિષદ ૮-૧૨-૧) અર્થાત્ શરીરવાળા કોઈને પણ પ્રિયાપ્રિયનો અભાવ નથી. અને અશરીરીને પ્રિયાપ્રિય કદી સ્પર્શતા
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy