SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૭૮૧ – “ય પૂઈયા' આદિ વાક્યો વિધિવાદ બતાવનારા કેમ ન કહેવાય? ઉત્તર-૭૮૧ – એમ કહેવાથી તો શેષ અગ્નિહોત્રાદિ અનુષ્ઠાન નિરર્થક થાય. “ષિ વ: પ્રથમો યો યોનિમ: યોનિદ્વડન્ચન યાતે જ ગતિમયપત” આ વાક્યમાં પશુ-મેઘ વગેરે પ્રથમ કરવાની નિંદા કરી છે. તેથી તે નિન્દાર્થ પ્રતિપાદક ગણાય. ‘દાશ માસા: સંવત્સર:', ‘નિરુwn' ‘હિંસ્ય મેષs” આ વાક્યો અનુવાદ બતાવનારા છે. કેમકે તેમાં લોકપ્રસિદ્ધ અર્થનું જ કથન કર્યું છે. તથા “વિજ્ઞાનન” ઇત્યાદિ પદનો અર્થ આ રીતે જાણવો - જેમકે વિજ્ઞાનઘન યાને આત્મા તે ભૂતોથી ભિન્ન છે. અને તે શરીરાદિ કાર્યોનો કર્તા છે. એટલે કાર્ય કરવામાં કોઈ કરણ હોવું જોઈએ એવું અનુમાન કરાય છે. તે આત્માને શરીરાદિ કાર્ય કરવામાં જે કરણભૂત છે તે કર્મ છે. એમ સ્વીકારી લે. તથા કર્મને જણાવનારાં સાક્ષાત્ વેદ પદો પણ છે જેમકે, “પુષ્યઃ પુન ફર્મળા, પપ: પાન ખા” આ પ્રમાણે આગમથી પણ કર્મ સિદ્ધ છે, એટલે કર્મ છે એ વાતનો સ્વીકાર કર. (૩) વાયુભૂતિ - જે જીવ છે તે જ શરીર છે કે અન્ય કઈ છે? પૃથ્વી-અપ-તેજ અને વાયુ એ ભૂતોના સમુદાયથી પૂર્વે અસત્ એવી ચેતના ઉત્પન્ન થાય છે. જેમ ઘાતકી પુષ્પ-ગોળ વગેરે મદ્યના જુદા જુદા અંગોમાં મદ જણાતો નથી. પણ તેમના સમુદાયમાં તે જણાય છે. તેમ પૃથ્વી આદિ પ્રત્યેકમાં તે ચેતના નથી. પણ તેમના સમુદાયમાં તો પ્રત્યક્ષપણે ચેતના જણાય છે, એટલે ચેતના એ ભૂત સમુદાયનો ધર્મ છે. વળી જેમ મદ્યના પ્રત્યેક અંગોમાં નહિ જણાતો મદભાવ તેના સમુદાયમાં ઉત્પન્ન થઈને ફરી પાછો કાલાંતરે તેવા પ્રકારની વિનાશક સામગ્રી મળવાથી નાશ થાય છે. તેમ ચેતના પણ ભૂત સમુદાયમાં ઉત્પન્ન થઈને તથાવિધ પ્રકારે કેટલોક સમય રહીને નષ્ટ થાય છે. એટલે અન્વય વ્યતિરેકથી ચૈતન્ય એ ભૂતનો ધર્મ નિશ્ચિત થાય છે. ધર્મ અને ધર્મીનો પરસ્પર અભેદ હોય છે. ભેદ માનીએ તો ઘટ અને પટની જેમ તે બંનેનો પરસ્પર ધર્મ-ધર્મીભાવ ઘટે નહિ. માટે જે ચૈતન્યરૂપ જીવ છે, તે શરીર જ છે, કેમકે ચેતના એ ભૂતોનો ધર્મ છે અને શરીર એ ભૂતોનો સમુદાય છે. તે બંને અભેદ હોવાથી એક જ છે. વળી, બીજા વેદ પદોથી જીવ શરીરથી ભિન્ન છે એવું પણ સંભળાય છે. જેમકે – “હ વૈ સશરીરસ્ય પ્રિયપ્રિયયોરપતિરહિત, મારી વા વસતં પ્રિયપ્રિયે ન ગૃતિ:” એટલે શરીરવાળા આત્માને પ્રિયાપ્રિયનો અભાવ નથી, અને શરીર વિનાના શુદ્ધ આત્માને
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy