SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૩૫ જ માન્યું ગણાય અને અમૂર્ત હોય તો ઉપકરણ વિનાનો હોવાથી આકાશની જેમ અકર્તા છે, વળી શરીરાદિ મૂર્ત કાર્યનું અમૂર્ત એવો સ્વભાવ કારણ થાય તે બરાબર નથી. માટે સ્વભાવ એ કાંઈ વસ્તુવિશેષ નથી. (૨) સ્વભાવને અકારણતા માનીએ તો એવો અર્થ નીકળ્યો કે દેહાદિ બધું કારણ વિના જ ઉત્પન્ન થાય છે. એટલે કારણનો અભાવ સર્વત્ર સમાન થવાથી એક સાથે સર્વ શરીરાદિ ઉત્પન્ન થવા જોઈએ. આ રીતે તો શરીરાદિ કારણ વિના અકસ્માત્ ઉત્પન્ન થાય છે એમ માનવું પડે. તે તો અત્યંત અનુચિત છે. કેમકે જે અકસ્માત્-હેતુ વિના ઉત્પન્ન થાય તે વાદળ વગેરેના વિકાસની જેમ આદિમાન્ પ્રતિનિયત આકારવાળું નથી હોતું અને શરીરાદિ તો આદિમાન પ્રતિનિયત આકારવાળા હોય છે. માટે તે અકસ્માત્ ન ગણાય. પણ કર્મરૂપ હેતુ સહિત ગણાય. કેમકે તે ઘટની જેમ પ્રતિનિયત આકારવાળા હોવાથી ઉપકરણવાળા તેના કર્તાએ તે કરેલા જણાય છે. (૩) હવે, સ્વભાવને વસ્તુનો ધર્મ કહીએ તો તેમાં વિજ્ઞાનાદિની જેમ જો આત્માનો ધર્મ હોય તો તે આકાશની જેમ અમૂર્ત હોવાથી શરીરાદિનું કારણ થઈ ન શકે. પણ તેને કોઈ મૂર્ત વસ્તુનો ધર્મ માનવામાં કોઈ વાંધો નથી કેમકે કર્મ એ પુદ્ગલાસ્તિકાયનો પર્યાય જ છે અને તેનો તેવો સ્વભાવ છે. માટે મૂર્ત વસ્તુનો ધર્મ માનવામાં કોઈ દોષ નથી. વળી, તને “પુરુષ વેવં સર્વ' ઇત્યાદિ વેદપદ સાંભળીને કર્મ વિષયક સંશય થયો છે કેમકે તે પદોનો અર્થ તું આવો કરે છે. આ પ્રત્યક્ષ જણાતું સર્વ ચેતન-અચેતનરૂપ, જે થઈ ગયું છે, જે થવાનું છે, જે મોક્ષનો સ્વામી છે, જે આહાર વડે વૃદ્ધિ પામે છે, જે ચાલે છે, જે ચાલતા નથી, જે મેરૂ આદિ દૂર છે, જે નજીકમાં છે તે સર્વ અત્યંતર છે, જે સર્વની બહાર છે, તે સર્વે પુરુષ જ છે એથી અધિક કર્મ નામની કોઈ વસ્તુ સત્તા નથી. તથા ‘વિજ્ઞાનધનાવિ’ વેદ પદો પણ કર્મનો અભાવ બતાવનારાં છે, કારણ કે બંને પદોમાં રહેલો ‘વ' કાર કર્મની સત્તાના અભાવને સિદ્ધ કરનાર છે એમ તારી માન્યતા છે. એ બરાબર નથી એ વેદપદોનો સત્યાર્થ સાંભળ - ‘પુરુષ વેવ્’ વગેરે વેદ પદો આત્માની સ્તુતિ કરનારા તેમજ જાત્યાદિ મદનો ત્યાગ કરવા માટે અદ્વૈતભાવ જણાવનારા છે. કર્મનો અભાવ જણાવનારા નથી. કેટલાંક વાક્યો વિધિ બતાવનારા, કેટલાક અર્થ બતાવનારા તથા કેટલાંક અનુવાદ પ્રતિપાદક વેદ વાક્યો છે. ‘અગ્નિહોત્રં નુયાત્' વગેરે વિધિવાદ બતાવનારા છે, અર્થવાદ બે પ્રકા૨નો છે સ્તુતિ અર્થવાદ અને નિંદા અર્થવાદ. તેમાં ‘પુરુષ વ’ અને ‘સ સર્વવિદ્ યથૈવ’ વગેરે તથા ‘જ્યા પૂર્વીયાડડદુા સર્વાન્ નમાનવાનોતિ' વગેરે સ્તુતિ અર્થવાદ બતાવનારા વાક્યો છે.
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy