SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ “વિજ્ઞાન ન તેઓ ભૂતેશ્ય: સમુત્થાય તાજોવાનુભવનતિ, 7 પ્રેત્યસંજ્ઞાતિ” એટલે કે વિજ્ઞાનધન આત્મા પંચમહાભૂતોમાંથી ઉત્પન્ન થઈને તે ભૂતોનો નાશ થતાં આત્માનો પણ નાશ થાય છે, તેથી મૃત્યુ પછી પરલોક નથી, તથા બૌદ્ધો કહે છે – “ર રૂi fપક્ષવ: ! પુનઃ" હે ભિક્ષુઓ! પુદ્ગલ (જીવ)ને રૂપ નથી. વગેરે આગમવચનો આત્માનો અભાવ બતાવનારા છે, વળી કેટલાંક આગમોમાં આત્માનું અસ્તિત્વ પણ જણાય છે. વેદમાં કહ્યું છે - "न हि वै सशरीरस्य प्रियाप्रिययोरपतिरस्ति अशरीरं वा वसन्तं प्रियाप्रिये न स्पृशतः" સશરીરીને પ્રિય-અપ્રિયનો વિયોગ નથી. અને અશરીરીને પ્રિય-અપ્રિય સ્પર્શતા નથી. તથા “નહોત્ર દુયાત્ સ્વામ:” સ્વર્ગની ઈચ્છાવાળાએ અગ્નિહોત્ર કરવો. વળી કપિલમુનિના આગમમાં - “તિ પુરુષોત્ત નિ મોજ fકૂપ:” વગેરે આગમો આત્માનો ભાવ જણાવે છે. આમ, પરસ્પર વિરોધ પ્રતિપાદક આગમો હોવાથી આગમ પ્રમાણથી પણ આત્મા અસિદ્ધ છે. ઉપમાન પ્રમાણથી પણ આત્માની સિદ્ધિ થતી નથી. “ સદો ગવ:” વગેરે દૂર રહેલા પદાર્થમાં સમાનતાની બુદ્ધિ ઉપમાન પ્રમાણથી થાય છે. પરંતુ, આખા લોકમાં આત્મા જેવી બીજી કોઈ વસ્તુ નથી કે જેને જોવાથી તેના સમાન આત્મા છે એવી પ્રતીતિ થાય, કાળઆકાશ-દિશા વગેરે આત્માની સમાન છે એમ કહેવું પણ યોગ્ય નથી, કેમકે એ પદાર્થોની માન્યતા પણ વિવાદવાળી છે તો તેના જેવો આત્મા કેમ કહી શકાય ? વળી આત્મા વિના ન ઘટી શકે એવો કોઈ પદાર્થ જોવા-સાંભળવામાં આવ્યો નથી કે જેથી આત્માની સિદ્ધિ થાય. માટે આત્મા સર્વપ્રમાણના વિષયથી બહાર છે એવું તું માને છે, કારણ કે પદાર્થનું અસ્તિત્વ સિદ્ધ કરનાર પાંચે પ્રમાણના વિષય રહિત આત્મા હોઈ પદાર્થનો અભાવ સિદ્ધ કરનાર અભાવ પ્રમાણનો એ વિષય છે, એટલે કે આત્મા નથી. હવે, ગૌતમના આ સંશયનું વર્ણન કરીને પરમાત્મા તેનું નિવારણ કરે છે. ગૌતમ ! આત્મા તને પણ પ્રત્યક્ષ છે તો અન્ય પ્રમાણની શું જરૂર છે? કારણ કે તારા હૃદયમાં જે આ સ્વસંવેદન સિદ્ધ સંશયાદિ જ્ઞાન ઑરે છે તે જ આત્મા છે, એ જ્ઞાન આત્મા સિવાય હોઈ ન શકે, માટે આત્મા પ્રત્યક્ષ છે એટલે અન્ય પ્રમાણથી સિદ્ધ કરવું જરૂરી નથી. પ્રત્યક્ષ સિદ્ધ છતાં સધાય છે એમ કહેવું યોગ્ય નથી. કેમકે સર્વપ્રત્યયો પ્રત્યય હોવાથી સ્વપ્નના પ્રત્યયની જેમ આલંબન રહિત છે. વગેરે બાધક પ્રમાણનું ત્યાં નિરાકરણ કરેલું છે. પણ અહીં પ્રત્યક્ષમાં કોઈ બાધક પ્રમાણ નથી માટે આત્મા પ્રત્યક્ષ છે. અથવા મેં કર્યું - કરું છું - કે કરીશ વગેરે ત્રિકાળ વિષયી કાર્ય વ્યપદેશમાં જે “હું” પ્રત્યય થાય છે એનાથી આત્મા પ્રત્યક્ષ છે, “અહ” પ્રત્યય લિંગરહિત હોવાથી અનુમાનથી થતો
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy