SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ઉત્તર-૧૦૪૭ – ખરી વાત છે. પરંતુ સમ્યક્ત વર્જીને ત્રણ સામાયિક સંસારીને જ સંભવે છે. તેના સહચર્યથી સમ્યક્ત સામાયિક પણ સંસારી સંબંધિ વિચારાય છે. તેવા પ્રકારનું તો સિદ્ધમાં નથી. એટલે તેમનો નિષેધ કરાય છે. ઉચ્છવાસનિઃશ્વાસક-દષ્ટિ દ્વાર :- ઉચ્છવાસ-નિઃશ્વાસક જીવ ચારેય સામાયિકોનો પ્રતિપદ્યમાનક સંભવે છે. પૂર્વપ્રતિપન્ન તો હોય છે જ. આનપાન પતિથી અપર્યાપ્ત મિશ્રા કહેવાય છે. તેમાં પ્રતિપત્તિને આશ્રયીને પ્રતિષેધ છે. એ ચારેનો પ્રતિપદ્યમાનક સંભવતો નથી. તે જ દેવાદિજન્મ કાળે બંને પ્રકારના સમ્યક્ત-શ્રુત સામાયિકનો પૂર્વપ્રતિપન્ન હોય છે. અથવા મિશ્ર એટલે સિદ્ધ આત્મા કે શૈલેશી ગત અયોગી કેવલી તેમાં સિદ્ધને ચારેનો પૂર્વોક્ત યુક્તિથી બંને રીતે પ્રતિષેધ છે. અહીં મિશ્ર શરીરરહિત હોવાથી નોચ્છવાસ-નિશ્વાસક તરીકે મિશ્ર એટલે કે શૈલેશીગત અયોગી કેવલી ગ્રહણ કરાય છે, તે બે પ્રકારના સમ્યફ-શ્રુત સામાયિકનો પૂર્વપ્રતિપન્ન હોય છે. પણ પ્રતિપદ્યમાન હોતા નથી. દૃષ્ટિથી વિચારણામાં ર નો વિચારક છે-વ્યવહાર અને નિશ્ચય. ત્યાં પ્રથમ નયને – જેમ મતિજ્ઞાન વિચારમાં અજ્ઞાની જ્ઞાન પ્રાપ્ત કરે છે તેમ અહીં પણ અસામાયિકી સામાયિક પ્રાપ્ત કરે છે. તથા અસામાયિકી-દીર્ઘકાલિકી તેની પ્રતિપત્તિ હોય છે. તથા બીજા નયને તો જેમ જ્ઞાની જ્ઞાન પ્રાપ્ત કરે છે તેમ અહીં પણ સામાયિકી સામાયિક પ્રાપ્ત કરે છે. અને સામાયિકી તેની પ્રતિપત્તિ હોય છે. કેમકે ક્રિયા-કાળ-નિષ્ઠા કાળ અભેદ છે. આહારક-પર્યાપ્તક દ્વાર :- આહારક જીવ ચાર સામાયિકમાંથી અન્યતર સ્વીકારે, પૂર્વપ્રતિપન્ન છે જ. ૬ પર્યાપ્તિથી પર્યાપ્ત પણ એ રીતે જ ચાર સામાયિકમાંથી અન્યતર સ્વીકારે, પૂર્વપ્રતિપન્ન છે જ. અનાહારક અને અપર્યાપ્તક, અનાહારકને અપાંતરાલ ગતિમાં સમ્યક્ત-શ્રુતાશ્રયીને થાય, પૂર્વપ્રતિપન્ન, પ્રતિપદ્યમાન તો નથી જ, કેવલી તો સમુદ્યાતશૈલેષી અવસ્થામાં અનાહારક દર્શન-ચારિત્ર સામાયિકનો પૂર્વપ્રતિપન્ન પ્રાપ્ત થાય છે. પણ પ્રતિપદ્યમાન હોતા નથી અપર્યાપ્ત પણ દર્શન-શ્રુતાશ્રયીને પૂર્વ પ્રતિપન્ન હોય પ્રતિપદ્યમાન ન હોય. સુત-જન્મ દ્વારઃ- સુપ્ત ૨ પ્રકારે હોય છે. દ્રવ્યસુત-ભાવસુu. એમ જાગૃત પણ બે પ્રકારે હોય છે-દ્રવ્યસુત-નિદ્રાથી, તથા ભાવસુ-મિથ્યાદષ્ટિ. તથા દ્રવ્યજાગૃત-નિદ્રારહિત, ભાવ જાગૃત-સમ્યગ્દષ્ટિ. નિદ્રાથી અને ભાવથી પણ જાગતો ચારમાંથી એક સામાયિકને પ્રાપ્ત કરે. પૂર્વપ્રતિપન્ન છે જ. ભાવજાગૃત સમ્યગ્દષ્ટિ પ્રથમ બે સામાયિક આશ્રયીને પૂર્વપ્રતિપન્ન જ વ્યવહારનય મતે હોય. નિશ્ચયનય મતે તો પ્રતિપત્તા પણ હોય. ચરણ અને દેશ વિરતિને આશ્રયીને પૂર્વપ્રતિપન્ન અને પ્રતિપદ્યમાનક હોય છે. નિદ્રાસુમ તો ચારેનો પૂર્વ પ્રતિપન્ન હોય
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy