SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પણ આવી જ બીજી અધોદિશા થાય છે. સુપફતર પણ મજુત્તરા જેવા ર૩રો चउरो य दिसा चउरो य अणुत्तरा दोण्णि ॥१॥ सगडुद्धि संठियाओ महादिसाओ हवंति વત્તા િમુત્તાવ7ીવ રો રો વેવ ૫ હતિ યોનિમાં રા દશે દિશાના નામો – ઐન્દ્રિ, આગ્નેયી, યામી, નૈઋતી, વારૂણી, વાયવ્રયા, સૌમી, ઇશાની, વિમલા, તમા. તાપક્ષેત્રદિશા :- ભરતાદિ ક્ષેત્રનિવાસી પુરુષોની જે દિશામાં સૂર્ય ઉગે છે તે તેમની પૂર્વદિશા. સૂર્યને આશ્રયીને આ વ્યપદેશની પ્રવૃત્તિથી એ તાપક્ષેત્રદિશા કહેવાય છે. આની પ્રદક્ષિણાથી બીજી પણ દક્ષિણાદિ દિશાઓ જાણવી. પ્રજ્ઞાપના દિશા - સૂત્રાર્થની પ્રરૂપણા-પ્રજ્ઞાપના કરે તે પ્રજ્ઞાપક. તેને આશ્રયીને દિશા પ્રજ્ઞાપક દિશા કહેવાય છે. પ્રજ્ઞાપક જે દિશા સંમુખ સૂત્રાર્થ કહે છે તે પૂર્વ દિશા તથા શેષ દક્ષિણાદિ પ્રદક્ષિણાથી કહેવી. ભાવદિશા:- જે પૃથ્વી આદિ સ્થાનોમાં કર્મ પરતંત્ર જીવના ગમન-આગમન થાય છે તે ભાવદિશા કહેવાય છે. તે ૧૮ પ્રકારે છે. પૃથ્વી-જલ-જવલન-વાયુ-મૂલબીજ-સ્કંધબીજઅઝબીજ-પર્વબીજ, બે-ત્રણ-ચાર-પંચેન્દ્રિય-તિર્યંચ-નારક-દવસઘાતો-કર્મ-અકર્મભૂમિ તથા અંતર્લીપના સંમુશ્લિમ મનુષ્યો એ ૧૮ પ્રકારની ભાવથી, પૃથ્વી આદિ પર્યાયથી અથવા પરમાર્થથી ભાવદિશા થાય છે. અહીં ક્ષેત્રદિશાથી પ્રયોજન છે તે બતાવે છે. પૂર્વદિ શક્ટિોદ્ધિ સંસ્થિત પૂર્વોક્ત ચારે મહાદિશાઓમાં વિવલિત કાળે ચારે સામાયિકનો પ્રતિપદ્યમાનક હોય છે, તેમનો સંભવ તેમાં હોય છે. પણ હોય જ એવું નથી ક્યારેક હોય ને ન પણ હોય. પૂર્વપ્રતિપન્ન અન્યતર દિશામાં હોય જ છે. પ્રશ્ન-૧૦૪૬ – ઉર્ધ્વ-અધો-અને વિદિશાની શી વાર્તા છે? ઉત્તર-૧૦૪૬ – એક પ્રદેશી હોવાથી છિન્ન મુક્તાવલિકલ્પ ચારે વિદિશાઓમાં અને રૂચનાકારવાળી પ્રત્યેક ચતુષ્પદેશા ૮ ઉર્ધ્વ-અધો દિશાઓમાં સર્વ સામાયિક સંપૂર્ણ પ્રાપ્ત થતું નથી કારણ કે તે શુદ્ધકેવલ ૬ દિશાઓમાં જીવ સંપૂર્ણ અવગાહ નથી કારણ કે તે જઘન્યથી પણ અસંખ્ય પ્રદેશાવગાહી છે. અને આ બધી દિશાઓ એક પ્રદેશી અને ચાર પ્રદેશી હોવાથી એટલા પ્રમાણની અવગાહના સંભવતી નથી. ભલે, આમ તેમ ફરવાથી સામાયિકવાળો જીવ તે એ દિશાઓ દેશથી સ્પર્શે એમાં વિરોધ નથી. કાળદ્વાર -સમ્યક્ત અને શ્રુત સામાયિકની પ્રાપ્તિ એ કાળ સુષમા-દુષમાદિમાં સંભવે છે, એ બંનેના પૂર્વપ્રતિપન્ન સમકિતી તો હોય જ છે. સર્વવિરતિ અને દેશવિરતિ કોઈ ઉત્સર્પિણીના દુઃષમસુષમા અને સુષમદુઃષમા એ બેકાળમાં અને અવસર્પિણીના સુષમદુષમા,
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy