SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ દિપક સમ્યક્તઃ- જે સ્વયં તત્ત્વશ્રદ્ધાન રહિત જ મિથ્યાષ્ટિ અન્યને ધર્મકથાદિથી તત્ત્વ શ્રદ્ધાન દિપાવે-ઉત્પન્ન કરાવે તે સંબંધિ સમ્યક્ત દીપક કહેવાય છે. જેમ અંગારમદકાદિ, એ સમ્યક્તનો હેતુ હોવાથી સમ્યક્ત કહેવાય છે. પરમાર્થથી તો મિથ્યાત્વ જ છે. (૨) શ્રત સામાયિક :- સૂત્રાર્થ તદુભય ભેદથી શ્રુતસામાયિક ત્રણ પ્રકારનું હોય છે. અથવા – “અક્કર સત્રી સમ્મ સારૂä વ7 સપષ્યવસિયં , મિયં પ્રવિદ્” ઈત્યાદિથી પ્રતિપાદિત અક્ષર-અક્ષરશ્નતાદિ ભેદથી ઘણા પ્રકારે પણ હોય છે. (૩) ચારિત્ર સામાયિક - ક્ષાયિક-ક્ષાયોપથમિક-ઔપશમિક એમ ત્રણ પ્રકારે ચારિત્ર સામાયિક છે અથવા સામાયિક-છેદોપસ્થાપનીય-પરિહારવિશુદ્ધિ-સૂક્ષ્મસંપરાય-યથાખ્યાત પાંચ પ્રકારે તે હોય છે. દેશવિરતિ સામાયિક ઘણા પ્રકારે હોય છે પર્યાયોને આશ્રયીને તેના અનંત ભેદ હોય છે. ઉપર જણાવ્યા અનુસાર સર્વ સામાયિકના જુદા જુદા ભેદોની વિચારણા કરતાં બધા સમુદિત ભેદો પર્યાયની અપેક્ષાએ અનંત છે. કારણ કે સંયમશ્રેણિમાં અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાય સ્થાનો છે અને તે દરેક અનંત પર્યાયવાળા છે. આમ, આગળ બાકી રહેલા સર્વ અધ્યયનોમાં પણ અનુયોગ કરતાં આ રીતે જ ઉપદેશાદિથી માંડીને નિયુક્તિ સુધીના દ્વારા રૂપ ઉપોદ્દાત નિયુક્તિ જાણવી. (૧૫) કસ્ય દ્વાર :- જે સમ-મધ્યસ્થ પોતાની જેમ પરને જુએ છે તે સામાયિક જે સર્વપ્રાણીઓ-ત્રસ બેઈન્દ્રિયાદિ અને સ્થાવર પૃથ્વી આદિમાં સમભાવવાળો છે તેનું સામાયિક હોય છે એવું કેવલીઓ એ કહ્યું છે. પરિપૂર્ણ સામાયિક કરવાની શક્તિના અભાવે ગૃહસ્થ પણ સામાયિક-બે ઘડી કાળનું સર્વ વર્જીને દ્વિવિધ ત્રિવિધથી સામાયિક કરવું. પ્રશ્ન-૧૦૪૨ – સર્વ શબ્દ ઉચ્ચારવામાં શું દોષ છે કે જેથી વિશેષ કરીને સર્વવર્જ કહો છો? ઉત્તર-૧૦૪૨– સર્વશબ્દ ઉચ્ચારણ કરતા તેને સાવઘયોગની અનુમતિ રૂપ વ્રતભંગનો દોષ છે, તે કારણથી ગૃહસ્થોએ ગૃહાદિમાં પૂર્વે અનેક આરંભો કરેલા છે. અને તેની અનુમિતિ સામાયિકમાં રહેલા પણ તેને અનુવર્તે છે. તેથી સર્વ સાવદ્યયોગનો નિષેધ કરતા ગૃહસ્થને વ્રતભંગ જ થાય, સર્વ સવિદો પ્રત્યારણ્યમ” એમ બોલીને જેને સાવદ્યયોગથી સર્વ વિરતિ નથી તેની પ્રતિજ્ઞા કરવાથી સર્વવિરતિવાદિ દેશવિરતિ અને સર્વવિરતિ બંનેનો નાશ કરે છે.
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy