SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૧૮૭ પ્રશ્ન-૧૦૧૨ – રૌદ્રધ્યાન ૪ પ્રકારનું છે - હિંસાનુબંધાદિ આગમમાં અન્યત્ર જણાવેલ છે તેમાં પ્રથમ પ્રાણિવધારિરૂપ હિંસાનું જેમાં નિરંતર ચિંતન થાય તે હિંસાનુબંધી, જેમાં નિરંતર અસત્યનું ચિંતન થાય તે મૃષાનુબંધી, જેમાં નિરંતર ચોરીનું ચિંતન થાય તે સ્તેયાનુંબંધી તથા જેમાં મરણાદિ અનેક ઉપાયોથી પોતાના દ્રવ્યનું રક્ષણ કરવાનું ચિંતન તે સંરક્ષણાનુંબંધી રૌદ્રધ્યાન કહેવાય. આ સંરક્ષણાનુબંધી રોદ્રધ્યાન વસ્ત્રાદિગ્રહણ કરતાં અવશ્યભાવી છે. એ રીતે રૌદ્રધ્યાનમાં હેતુ હોવાથી વસ્ત્રાદિક દુર્ગતિ હેતુ છે. તેથી કઈ રીતે ગ્રહણ કરવું? ઉત્તર-૧૦૧૨– જે ઉક્ત યુક્તિથી રૌદ્રધ્યાન છે તે મૂર્ખ ! દેહાદિમાં પણ તુલ્ય છે, તેમાં પણ જલ-જ્વલન-ચોર-પશુ-સર્પ-વિષ-કાંટાદિથી સંરક્ષણાનુબંધ તુલ્ય છે. એટલે તે પણ ત્યાજ્ય બને છે. પ્રશ્ન-૧૦૧૩ – દેહાદિ મોક્ષસાધન અંગ હોવાથી તેનાથી તેનું સંરક્ષણાનુબંધ વિધાન પ્રશસ્ત છે દોષ રૂપ નથી એટલે તેના સંરક્ષણમાં શું વાંધો છે? ઉત્તર-૧૦૧૩ – તો, તે આગમ પ્રસિદ્ધ યાતના પ્રકારથી અહીં વસ્ત્રાદિમાં પણ સંરક્ષણાનુબંધ વિધાન કેમ પ્રશસ્ત નહિ? તેથી વસ્ત્રાદિ કેમ છોડવા? પ્રશ્ન-૧૦૧૪ – વસ્ત્રાદિ પરિગ્રહ જ મૂચ્છદિદોષ હેતુ હોવાથી લોકના ભવભ્રમણનું કારણ છે એ અતિપ્રતીત છે. જ્યારે એ પરિગ્રહ ભવભ્રમણનું કારણ છે તો પછી તે વસ્ત્રાદિપરિગ્રહવાળા સાધુને પણ કેમ ન થાય? ઉત્તર-૧૦૧૪ – તારી આ એકાંત માન્યતા અયોગ્ય છે, કારણ કે અહીં જેટલાં શયનપાન-ભોજન-ગમન-અવસ્થાન-મન-વચન-કાયાની ચેષ્ટાદિ પ્રકારક અવિરત-અસંયતઅપ્રશસ્તાધ્યવસાયવાળાને લોકમાં ભયહેતુઓ થાય છે. તેટલા જ પ્રકારના વિરત-સંયતપ્રશસ્તાધ્યવસાયવાળાને મોક્ષ માટે થાય છે. તેથી વસ્ત્રાદિ સ્વીકારમાં પણ ઇતર લોકની જેમ મૂળમાંથી ઉખડેલા લોભાદિકષાય-ભય-મોહનીયાદિદોષવાળા સાધુઓને તારો ઉભાવેલો કોઈ દોષ લાગતો નથી. અને જો વસ્ત્રાવિક ગ્રંથ, મૂર્છાવિહેતુત્વા, નહિવત્ વળી, વસ્ત્રાદિ મૂચ્છ વગેરેના હેતુ હોવાથી સુવર્ણાદિની જેમ પરિગ્રહ છે. આમ, હેતુ-દષ્ટાંતના ઉપભ્યાસ માત્રથી જ વસ્ત્રાદિનું પરિગ્રહ– તમે સાધો છો તો અમે પણ તમારા ઉપન્યાસમાત્રથી કનકાદિનું પણ અપરિગ્રહત્વ સાધીશું-તે આ રીતે.
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy