SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય ખંડ (૧) ઉદેશદ્વાર પ્રશ્ન-૭૧૫ – પ્રથમ ઉદ્દેશ પછી નિર્દેશ શા માટે? ઉત્તર-૭૧૫ – પહેલાં સામાન્યથી વસ્તુનો ઉદ્દેશ કરીને પછી વિશેષથી નિર્દેશ કરાય છે. એવી શાસ્ત્ર અને લોકમાં સ્થિતિ છે. તેમજ જ્ઞાન પણ પ્રાયઃ પ્રથમ વસ્તુના સામાન્યાકાર ગ્રાહક ઉત્પન્ન થાય છે. પછી વિશેષ આહાર ગ્રાહક થાય છે. તે કારણથી વસ્તુનો સામાન્યભિધાન રૂપ પ્રથમ ઉદ્દેશ અને પછી તેનો જ વિશેષાભિધાન રૂપ નિર્દેશ કરાય છે. ઉદેશના ભેદો :- (૧) નામોદેશ (૨) સ્થાપનોદ્દેશ (૩) દ્રવ્યોદ્દેશ (૪) ક્ષેત્રોદેશ (૫) કાળોદેશ (૬) સમાસોદેશ (૭) ઉદેશોદેશ (૮) ભાવોદેશ. (૧) નામોદ્દેશ - જે જીવાદિ વસ્તુનું “ઉદેશ” એવું નામ કરાય તે નામોદેશ. જે ઘટપટાદિ પદાર્થ જે ઘટ-પટાદિ નામથી ઉદ્દેશ કરાય તે પણ નામોદ્દેશ. અથવા નામવસ્તુસામાન્યભિધાનનું ઉદ્દેશન-ઉચ્ચારણ. વસ્તુનું સામાન્ય જે કથન કરવું તે નામોદેશ. જેમકે આગ્રાદિનું વૃક્ષાદિ નામ. પ્રશ્ન-૭૧૬ – જે વસ્તુનું સામાન્યકથન માત્ર ઉદ્દેશ કહેવાય તો સર્વ સ્થાપના-દ્રવ્ય-ક્ષેત્રકાળાદિ ઉદ્દેશ નામોદ્દેશ જ થાય. કેમકે, હેમ-રત્નાદિ દ્રવ્યોનું પણ હેમાદિ સામાન્ય અભિધાન છે અથવા કુસુંભહરિદ્રાદિ કારણભૂત દ્રવ્યો દ્વારા વસ્ત્રોનું લાલ-પીળું વગેરે સામાન્યભિધાન છે. અથવા દંડાદિ દ્રવ્ય હોતા દંડી વગેરે સામાન્યભિધાન પ્રવર્તનું જણાય છે. એમ સ્થાપનાક્ષેત્રાદિમાં પણ સમજવું. તેથી જે દ્રવ્યાદિ ઉદ્દેશ અભિમત છે તે જ બધો નામોદ્દેશ થાય છે. એટલે એકવિધ હોવાથી ઉદ્દેશની અષ્ટવિધતા તો ન જ રહી ને ? ઉત્તર-૭૧૬ – તમે સાચું કહ્યું છે. કારણ કે સામાન્ય નામોદેશ છે તે ખરેખર સર્વાનુગત જ છે, તો પણ સ્થાપના દ્રવ્યાદિ ઉદેશોનું નાનાત્વ પરમાર્થવેદિઓને સંમત જ છે તે પણ મતિક્રિયા-વસ્તુ ભેદથી છે. જેમકે જેવી નામેન્દ્રમાં મતિ છે તેવી જ સ્થાપના ઈન્દ્રાદિમાં ઉત્પન્ન થતી નથી. અને જે ક્રિયા નામેન્દ્ર કરે છે તે સ્થાપના ઈન્દ્ર કે દ્રવ્યેન્દ્રાદિ કરતા નથી. એટલે જ નામેન્દ્રાદિ વસ્તુઓનો પરસ્પર વસ્તુભેદ જાણવો. એમ પ્રસ્તુત નામ-સ્થાપના-દ્રવ્યાદિ ઉદ્દેશોઓનો પણ મત્યાદિ ભેદ જોડવો. ભાગ-૨/૨
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy