SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૧૫૯ જ્યાં સુધી અંતે ઉત્કર્ષવાળા તૃપ્તિ આદિ ન થાય. આ ક્ષણિકત્વમાં જ ઘટે છે નિત્યત્વમાં નહિ નિત્ય અપ્રશ્યુત-અનુત્પન્ન-સ્થિર એક સ્વભાવ હોવાથી સર્વદા તૃપ્તિ આદિનો કાંતો સદ્ભાવ હોય અને કાંતો અભાવ હોય છે માટે ? ઉત્તર-૯૬૩ – જો એમ હોય તો પૂર્વક્ષણના વિનાશમાં ઉત્તરોત્તર ક્ષણોમાં તૃપ્તિ આદિની ક્રમથી જે ઉત્કર્ષવાળી પર્યન્તે તૃપ્તિ અને શ્રમાદિ સંભવે છે અને છેવટે સંપૂર્ણ તૃપ્તિ આદિ થાય છે તે ક્યા કારણે ? કહો જો પૂર્વપૂર્વક્ષણથી ઉત્તરોત્તરક્ષણની જે તૃપ્તિઆદિ વાસના ઉત્પન્ન થાય છે તે કારણે તૃપ્તિ આદિ થાય છે એમ કહો તો, તે યોગ્ય નથી, કારણ કે તે વાસનાનો તેનાથી અભિન્ન એવી પૂર્વપૂર્વક્ષણના નાશમાં નાશ થાય છે. હવે જો ઉત્તરોત્તરક્ષણમાં તે અનુસરે જ છે એવો તારો અભિપ્રાય હોય તો પૂર્વપૂર્વક્ષણનો સર્વવિનાશ કઈ રીતે કરી શકાય ? તેનાથી અભિન્ન થયેલી તૃપ્તિઆદિ વાસના તો ત્યારે અનુવર્તે જ છે. અથવા ક્ષણોમાં સર્વનાશે દિક્ષાનું શું પ્રયોજન છે ? નિરર્થક છે. હવે, દીક્ષા મોક્ષ માટે છે એમ તારી મતિ છે તો કહે તે મોક્ષ નાશરૂપ માને છે કે અનાશરૂપ ? જો નાશરૂપ તો એ મોક્ષ કયો ? સર્વ વસ્તુનો સ્વરસથી પ્રયત્ન વિના પણ નાશ તારા મતે સિદ્ધ જ છે એટલે દીક્ષા પ્રયત્નથી શું ? જો મોક્ષ અનાશરૂપ-નિત્ય માનો તો સર્વ વસ્તુ ક્ષણિક ન હોય. મોક્ષમાં જ વ્યાભિચાર આવે છે. પ્રશ્ન-૯૬૪ તો સ્વ-આત્મીય વિજ્ઞાન-વેદના-સંસ્કારરૂપ આત્મસ્કંધની ક્ષણ પરંપરા રૂપ સંતાન-સ્વસંતાન હજુ પણ નષ્ટ થયો નથી. અને મોક્ષ નિઃસંતાનને જ છે એટલે નિઃસંતાન માટે દીક્ષા કરાય છે એમ કહીશું ? - ઉત્તર-૯૬૪ – સર્વનષ્ટ-વિનાશ પ્રાપ્તને છિન્ન કે અછિન્ન સંતાનનું શું પ્રયોજન હોય કે જેથી સંતાન હણવા માટે દીક્ષા લે ? અથવા ક્ષણભંગુરપણે સર્વથા નષ્ટને આ ચિન્તાથી શું ? કે આ સ્વતંતાન છે, આ પ૨સંતાન છે આ સંતાન નાશ પામેલો છે કે આ સંતાન નથી હણાયો કે જેથી સસંતાનો અહૐ ત્તિ તો વિવવા એમ કહો છો. પ્રશ્ન-૯૬૫ – - सर्वं वस्तु क्षणिकम् पर्यन्ते नाशदर्शनात् पयोवत् । - पूर्वपक्ष: ઉત્તર-૯૬૫ – જો વસ્તુનો પર્યન્તે નાશ દેખાય તો પ્રતિક્ષણવિનાશિત્વ હોવાથી શું વળ્યું ? કે જેથી સર્વ ક્ષણિકં કહો છો ? પ્રશ્ન-૯૬૬ સાચું છે. પરંતુ અહીં આ તેનો અભિપ્રાય છે કે પર્યન્તે પણ ઘટાદિનો વિનાશ નિર્દેતુક જ હોય છે. મુગરાદિ વિનાશહેતુના અયોગથી, જેમકે ત્યાં મુગરાદિ હેતુ હોય તો તે મુદ્ગરાદિથી વિનાશ કરતાં શું ઘટ જ કરાય છે, કે કપાલો કે તુચ્છરૂપ અભાવ -
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy